Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- તા. ૨૬-૭-૩૪ - - — ---
---
શ્રી વિશ્વક
૪૨
કે ગુરુ યા તો કુધર્મને માનવાવાળા પણ કઈ દૃષ્ટિથી તેઓને માને છે? કલ્યાણના પરિણામને
લીધે. ધાગાપંથી બોકડા મારે, પરિણામ કયાં? કલ્યાણમાં. જો પરિણામ દેખો તો જગતમાં 5 જેટલાં મિથ્યાત્વ દેખશો તે બધાં કલ્યાણનાં જ પરિણામવાળાં, ભલે ક્રિયા બીજી હોય ! મુસલમાનો પયંગબરને માને, ખ્રિસ્તીઓ ઇશુને માને, પણ તે બધું કલ્યાણ બુદ્ધિથી જ ! એની સેવા કરું તો કલ્યાણ થશે એ જ પરિણામ કે બીજા? કોઈ હજી સુધી એવો નથી મળ્યો કે અકલ્યાણ માટે દેવાદિને માનવાની ધારણાવાળો હોય. કહો ! પરિણામે બંધ લાવતા હોઈએ તો બધા શુભ બંધમાં જ આવે. સર્વ મતવાળા પણ પોતાના દેવને કલ્યાણ કરનાર માને છે. આ છે. આ વાત ગુણપૂજા કે ગુણીપૂજામાં જણાવી ગયો છું. ગુણપૂજા રાખીએ તો બધા જ માને છે. કોઈ ધર્મ યા મતવાળો પોતાના દેવને લુચ્ચા, ધૂર્ત, નઠારા, ફસાવનાર નથી માનતો, પરંતુ ગુણોને આગળ કરીને જ માને છે. અર્થાત્ સર્વજ્ઞ છે, કલ્યાણ કરનારા છે એમ જાણીને કલ્યાણની બુદ્ધિ-પરિણામને લઈને જ સર્વ ધર્મવાળા પોતપોતાના દેવ-ગુરુ-ધર્મને માને છે. તેથી પિત્તળને સોનું લઈ ગ્રહણ કરનારની ધારણા કઈ ? સુવર્ણની. કાચને હીરો લઈ ગ્રહણ કરનારની ધારણા કઈ ? હીરાની જ. ગુણપૂજા સર્વત્ર વ્યાપક છે. દેવ-ગુરુને પણ ગુણને હિસાબે માને છે. ગુણપૂજા હોવા છતાં ગુણીપૂજા ન હોય તો નકામું ! મિથ્યાત્વીઓના દેવો, ગુરુઓ અને ધર્મોમાં પણ ગુણપૂજા જ આગળ રહેલી છે. આજ ગુણપૂજાને લઇને ચૌદસો ચુમાલીશ ગ્રંથના પ્રણેતા ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ જણાવે છે કે “ઃ પૂષ્યઃ સર્વદેવાનાં, વ: : સર્વયોનિના” ' અર્થાત્ “જે જિનેશ્વર ભગવાન સર્વ દેવોને પૂજવા યોગ્ય છે ને જે જિનેશ્વર ભગવાન
સવ” યોગીઓને ધ્યાન કરવા લાયક છે.” અહીં શંકા ચાલી કે - છે. તમો પોતે જંગતના જીવોની અપેક્ષાએ અનંતમો ભાગ સમકાતિ જીવનો માનો છો, દેવતાઓની અપેક્ષાએ તે અસંખ્યાતમો ભાગ માનો છો અને યોગીઓની અપેક્ષાએ તે માત્ર સંખ્યાતમો ભાગ માનો છો, ફક્ત આટલો જ ભાગ તમારા જિનેશ્વરને માને છે છતાં
જિનેશ્વરે સર્વદેવોને પૂજાય છે, એ સર્વને પૂજ્ય છે એમ શું કામ બોલો છો? દેડકો કુદી કુદીને બિોલે કે દરીયો આટલો જ છે તો શું બીજા તેને હસે નહિ? અરે ખુદું માનસરોવરથી આવેલ હંસ પણ તેની હાંસી કરે તો મનુષ્ય તો કેમ ન હસે ? એ વાતનો પ્રભુ હરિભદ્રસૂરિએ શો ખુલાસો આપ્યો તે શ્રીઅષ્ટક ટીકાકાર શ્રીજિનેશ્વરસૂરિ મહારાજ જણાવે છે. તમે જે જિનેશ્વર મહારાજને સેવો છો, ધ્યાન કરો છો, જપ કરો છો તે શાને લઇને? કહેશો કે સર્વજ્ઞતાદિકના ગુણને લઈને, તમે જે ગુણોને લઈને પૂજો છો તેજ ગુણવાલા સર્વને પૂજ્ય છે. અર્થાત્ ઇતર મતવાળા પણ ગુણોને લઇને પોતાના દેવાદિને પૂજે છે, અને તેજ અપેક્ષાએ જિનેશ્વર સર્વ ગુણોવાળા હોવાથી પૂજવા લાયક અને ધ્યાન કરાવા લાયક છે.