Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૬-૭-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૫૮
ગુણનિષ્પન્ન નામની ઈર્ષ્યા કે કોઇપણ કારણને અંગે જ બૌદ્ધગ્રંથકારોએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને શ્રમણ ભગવાન મહાવીર તરીકે કોઈ જગા પર ઓળખાવ્યા નથી, પણ કેવળ જ્ઞાતપુત્ર તરીકે સ્થાન સ્થાન પર બૌદ્ધલોકોએ પોતાના ગ્રંથોમાં ભગવાન મહાવીર મહારાજને ઓળખાવ્યા છે. જો કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને શ્વેતાંબર શાસ્ત્રકારોએ જ્ઞાતપુત્રના નામે પણ ઓળખાવેલા છે. તેથી શ્વેતાંબર શાસ્ત્રોમાં જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન એવા નામોથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને ઓળખાવવામાં આવેલા છે. દિગંબર શાસ્ત્રો કે કોષમાં સાતપુત્ર તરીકેનો ધસારો પણ નથી.
સૂગડાંગવીરસ્તુતિ અધ્યયનમાં તથા કલ્પસૂત્ર વિગેરેમાં ભગવાન મહાવીર મહારાજની પ્રશંસા જણાવતાં પણ તેમને જ્ઞાતકુળની શોભા કરનાર તરીકે અને સમૃદ્ધિ કરનાર તરીકે જણાવવામાં આવેલ છે, અર્થાત્ મહાવીર મહારાજાનું જ્ઞાતપુત્રપણું મિશ્ર નહિ તેમ રૂઢ પણ નહિ એમ ગણી યૌગિક જ ગણેલું છે, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજી પણ “મહાવીરો વર્ષનો રેવા જ્ઞાતઃ ' એવા અભિધાન ચિંતામણિના ધંધાર્ધમાં ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતનંદન એવું નામ જણાવે છે. અર્થાત્ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન વિગેરે નામોથી બોલાવવા યોગ્યપણું શ્વેતાંબર શાસ્ત્રકારો ઘણે સ્થાને સ્પષ્ટ રીતે જણાવે છે. : દિગંબર ગ્રંથકાર્યો કે દિગંબર કોશકરનારાઓ ભગવાન મહાવીર મહારાજને કોઈપણ પ્રકારે જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતિનંદનના નામે જણાવતા નથી, અને ષષ્માભૂતની ટીકા વિગેરેમાં દિગંબરાચાર્યો ભગવાન મહાવીર મહારાજનાં જે નામો જણાવે છે તેમાં જ્ઞાતપુત્રપણાનો ધસારો પણ નથી. શાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં તત્વ.
આવી રીતે નામમાં બંને મતમાં ફરક પડવાનું કારણ બાહ્યદૃષ્ટિએ જોનારને જો કે કંઇપણ લાગશે નહિ, છતાં સૂક્ષ્મદૃષ્ટિથી જોનાર મનુષ્ય એ જ્ઞાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં ઘણું તત્ત્વ જોઈ શકે છે. અસલ હકીકત એ છે કે શ્વેતાંબરો ભગવાન મહાવીર મહારાજનું પ્રથમ દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં નીચગોત્રના ઉદયને લીધે આવવું માને છે, અને ઈદ્રમહારાજાએ તે નીચગોત્રનો ઉદય પુરો થતાં સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલારાણીની કૂખમાં ભગવાન મહાવીર મહારાજાને સહર્યા એમ માની ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતકુળના સિદ્ધાર્થ મહારાજના ઘેર આવવું અત્યંત ઉત્તમ અને જરૂરી માનેલું હતું અને તેથી જ્ઞાતકુળના હજારો કુંવરો હોય તો પણ ભગવાન મહાવીર મહારાજને અંગે જ્ઞાતકુળમાં થયેલો અવતાર અત્યંત પ્રશસ્ત અને આશ્ચર્યરૂપ હતો અને તેથી ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતિનંદન તરીકે અત્યંત વખાણવામાં આવેલા હોઇ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતપુત્ર વિગેરે નામ સાધુપણું લીધા પછી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નામ નહોતું સ્થાપ્યું ત્યાં સુધી સર્વ કાળ પ્રસિદ્ધ રહ્યું હતું અને તે જ જન્મથી માંડીને કહેવાતા