Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૧-૯-૩૪
૪૯
શ્રી સિદ્ધચક્ર આપણે પહેલાં જ કહી ગયા કે દીવાએ પદાર્થો બતાવ્યા છે બનાવ્યા નથી. એ જ પ્રમાણે તીર્થકર મહારાજે ધર્મ અધર્મ બતાવ્યા છે, બનાવ્યા નથી અને એટલા જ માટે “બિનપત્ર તત્ત” “જિનપન્નો થપ્પો' એટલે કે “જિનેશ્વરે કહેલ તત્વ” “જિનેશ્વરે કહેલ ધર્મ” એમ કહેવામાં આવે છે. કોઈપણ ઠેકાણે જિનેશ્વરે બનાવેલ ધર્મ કે તત્વ એમ નથી કહ્યું; કારણકે ધર્મ અને અધર્મ એ અનાદિ તત્વો છે, અને જે વસ્તુની આદિજ ન હોય એ બનાવી જ કેવી રીતે શકાય? અને એટલા માટે એ અનાદિતત્વોનો મુખ્ય આધાર અનાદિ કાળથી આત્માની સાથે રહેતી પરિણતિ ઉપર છે. એ પરિણતિનું સુકાન જે તરફ ફરવાનું એ તરફ ધર્મ અધર્મ ચાલ્યા જવાના. એટલે ભવ્ય પ્રાણીઓએ એ પરિણતિને શુદ્ધ કરીને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરવું જોઇએ. જેટલી પરિણતિ શુદ્ધ તેટલો આત્મા વધારે ઉજવળ થવાનો.
(અપૂર્ણ)
હું
છું
હું