Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૫o
શ્રી સિદ્ધચક
તા.૧૧-૦-૩૪
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ.
#માધાનકાર: શ્વકક્ષાત્ર ઘટંગત આગમોધ્ધાર શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
BAN2 Alavede glas
PHENOG
વાત
કરતા
ક0 ઉપર પ્રશ્ન ૬૯૧- યુગપ્રધાના કેટલા હોય ? એમનું લક્ષણ શું ? અને હાલમાં તેઓ છે કે નહિ ?
સમાધાન- પ્રવચનસારોદ્વારની રચના તેરમી સદીમાં થઇ છે અને તેમાં મહાવીર મહારાજના શાસનમાં બે હજાર અને ચાર (૨૦૦૪) યુગપ્રધાનો થવાનું સ્પષ્ટ જણાવ્યું છે. આવશ્યક ચૂર્ણિ વિગેરેમાં આર્યમહાગિરિજી અને આર્યસુહસ્તિજીને યુગપ્રધાન તરીકે જણાવેલા છે, શ્રીનિશીથ ચૂર્ણિમાં આર્યકાલકાચાર્ય મહારાજને યુગપ્રધાન તરીકે જણાવેલા છે અને શ્રી મહાનિશીથસૂત્રમાં શ્રીપ્રભઆચાર્યને યુગપ્રધાન જણાવેલા છે એ ઉપરથી યુગપ્રધાન શબ્દ અને તેની વિવક્ષા ઘણા પ્રાચીન કાળની છે એમ જણાય છે. જે કાળે જે પુરુષો વર્તતા હોય તે પુરુષોમાં આગમના સુક્ષ્મ બોધને લીધે જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓને યુગપ્રધાનાગમ અર્થાત્ યુગપ્રધાન કહેવાય છે. તેઓ એકાવતારી હોય છે. વર્તમાનકાળમાં યુગપ્રધાન તરીકે કોઇપણ વ્યક્તિ જાહેર આવી નથી.
પ્રશ્ન ૧૯૨- સાત ક્ષેત્ર કયા અને તેમાં ધનવ્યય કરવા માટે સાધુઓ ઉપદેશ આપે કે આદેશ કરી શકે ?
સમાધાન- જિનમંદિર જિનમૂર્તિ, જ્ઞાન અને ચતુર્વિધ સંધ (સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા)એ સાત ક્ષેત્રો છે. જૂનાં ચૈત્યોનો ઉદ્ધાર કરવો કે નવાં ચૈત્યો (દહેરાં) બનાવવાં તે ચૈત્યક્ષેત્ર કહેવાય, ચૈત્ય અને મૂર્તિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે, અને તેથી જ દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારો ચેત્યદ્રવ્ય, દેવદ્રવ્ય, જિનદ્રવ્ય વિગેરે ઉભય સાધારણ શબ્દો વાપરે છે. જો કે ચિત્ય અને મૂર્તિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે, અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હોત તો ચાલી શકત, પણ ચેત્ય અને મૂર્તિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખરચ કરવાની યોગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રો જુદાં રાખ્યાં છે. વળી દરેક શ્રાવકો સો સોનૈયા જેટલી પોતાની મિલકત થાય ત્યારે પોતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઇએ, એ વાતનો ખ્યાલ પણ ચૈત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. વળી ભગવાનની ત્રિકાળપૂજા કરવાવાળો શ્રાવક પોતાના દ્રવ્યનો દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે એવો ખ્યાલ પણ મૂર્તિનામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. ભગવાનના શાસનનો પુરો આધાર જીવાજીવાદિ તત્વોના જ્ઞાન પર હોઈ પુસ્તકોનો ઉદ્ધાર કરવો, લખાવવાં કે સાચવવાં વિગેરેને અંગે થતો વ્યય જરૂરી હોઇ જ્ઞાનનામનું ક્ષેત્ર જુદું રાખેલું છે. આ ત્રણ ક્ષેત્રો (ચૈત્ય, મૂર્તિ અને જ્ઞાન)માં નવીન ઉત્પત્તિ, જૂનાની સંભાળ કે જીર્ણનો ઉદ્ધાર કરાય તે યોગ્ય ગણાય છે. તેવી જ રીતે ચતુર્વિધ સંઘને અંગે સાધુ સાધ્વી, નવી દીક્ષાઓ, દીક્ષિતોને