Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪રર
તા. ૨૭-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર જ્ઞાનદર્શન જરૂર હોય, અને જ્યાં જ્ઞાનદર્શન હોય ત્યાં ચારિત્રની ઇચ્છા પણ જરૂર હોય જ. એટલે જો ઉત્પત્તિની અપેક્ષાએ આપણે વિચાર કરીશું તો આપણે કહેવું પડશે કે કેવળજ્ઞાનદર્શનની જડ ચારિત્ર છે, અને જો પ્રતિબંધકની અપેક્ષાએ વિચારીએ તો ચારિત્રમોહનીયની હૈયાતીમાં જ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે. એટલે જ્યાં સુધી મોહનીય હૈયાત રહેશે ત્યાં લગી મતિ-શ્રુત-અવધિ મન:પર્યવ અને કેવળ-જ્ઞાનાવરણીય ચક્ષુ-અચક્ષુઅવધિ-અને કેવળ-દર્શનાવરણીય-એમ એ નવ પ્રકારના આવરણીય બંધાતા રહેવાના. ચારિત્રમોહનીય એ જ જ્ઞાન-દર્શનાવરણના સડાનું ઉત્પાદક છે. એ ઉત્પાદક નાશ થયું એટલે પછી એમાં લેશમાત્ર પણ વધારો નહિ થવાનો. એટલે ટૂંકમાં કહીએ તો મોહનીય કર્મ એ બંધનું પણ કારણ છે અને કર્મ ટકી રહેવાનું પણ એ જ કારણ છે. એ મોહનીય કર્મનો નાશ કરવા માટે આત્માના સંયમસ્વરૂપની આરાધના કરવી પડે છે અને જ્યારે એ આરાધના સંપૂર્ણ થાય છે ત્યારે જ્ઞાનદર્શન આપોઆપ બે ઘડીમાં આવી મળે છે.
મહાનુભાવો ! મોહનીય કર્મ એટલે કર્મનો બજાર ! એ બજારમાં જાઓ તો દરેક પ્રકારના કર્મ તમને વળગી પડવાના. એ વળગાડથી બચવું હોય તો એ મોહનીયના બજારને દૂર કરો. એને દૂર કરવાનો અદ્વિતીય માર્ગ તે ચારિત્ર છે. એ ચારિત્રની-આત્માના સંયમસ્વરૂપની આરાધના કરો એટલે એ કર્મોનો પુંજ તમને વળગતો અટકશે.
સંયમાત્માની વધુ પુષ્ટિ માટે આપણે જરા વધારે વિચાર કરીએ અને કાર્યકારણનો સંબંધ વિચારીને ચારિત્રનું એમાં શું સ્થાન છે એ જોઈએ. પહેલાં કાર્યકારણનો સંબંધ એટલે શું એ જાણીએ તો આપણે આ વાતનો વિચાર બહુ સારી રીતે કરી શકીશું. જે સંબંધમાં એક હોય ત્યાં બીજું જરૂર હોય જ એનું નામ કાર્ય, અને જ્યાં એક હોય છતાં બીજાનું નિશ્ચિત અસ્તિત્વ ન હોય તે કારણ. જેમ માટી અને ઘડો. માટી એ કારણ છે અને ઘડો એ કાર્ય છે. જ્યાં ઘડો હોય ત્યાં માટી જરૂર હોય જ અને જ્યાં માટી હોય ત્યાં ઘડો હોય જ એવો નિયમ નથી હોતો. એ જ પ્રમાણે અહીં સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રમાં પણ ચારિત્ર એ કાર્યરૂપ છે અને જ્ઞાનદર્શન એ કારણરૂપ છે. એટલે જેણે સંયમરૂપ આત્મા માન્યો એણે ઘડારૂપ આત્મા માન્યો. આટલા જ માટે ઉપાધ્યાયજી મહારાજે આત્માને સંયમસ્વરૂપ માનવાનું કહ્યું. પૂર્ણ આત્મસ્વરૂપ.
કેટલાક સિદ્ધાંતો એવા છે કે જે અધિકરણ સિદ્ધાંત તરીકે ગણાય છે. અધિકરણ સિદ્ધાંત એટલે કહેવામાં એક વસ્તુ આવે અને એની પાછળ પાછળ બીજી અનેક વસ્તુ આપોઆપ ચાલી આવે. સમજો કે એક માણસે પોતાના નોકરને દહીં લાવવાની આજ્ઞા કરી. એ માણસ ગયો અને હાંડો