Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪ર૦.
તા.૨૦-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર ૧૪ શોભન મુનિજીને દીક્ષા નહિ આપવા માટે ધારાનગરીના પ્રધાન ધનપાલે ખુબ ધમાલ
મચાવી ત્યાંના શ્રાવકસંઘે પણ દીક્ષા નહિ આપવા જણાવ્યું, છતાં આચાર્ય મહારાજ
શ્રી ઉદ્યોતન (?) સૂરિએ દીક્ષા આપી હતી. ૧૫ શોભન મુનિજીની દીક્ષા તેમના પિતાના અર્ધસર્વસ્વ અર્પણની પ્રતિજ્ઞાને અંગે જ હતી. ૧૬ શોભન મુનિજીની દીક્ષા અંગે બાર વર્ષ સુધી માળવામાં સાધુઓનો વિહાર બંધ રહ્યો હતો. ૧૭ રાજ્ય તરફથી અનેકધા મુનિ મહારાજ અને શ્રી સંઘના વિરોધ છતાં દીક્ષાનો પ્રતિબંધ
કોઈપણ અંશે મૂકાય તો તે અંકુશને દૂર કરવા પ્રયત્ન ન કરનારને પાપના ભાગી
જણાવ્યા છે. ૧૮ કોઈ અંશે પણ પ્રતિબંધ અનિવાર્ય હોય તો જ્યાં વધારે દીક્ષિતો થાય ત્યાં વિચારવાનું
શાસ્ત્રકારો સ્પષ્ટ અક્ષરથી જણાવે છે (અર્થાત્ પ્રતિબંધના નામે શાસ્ત્રાનુસારીઓ દીક્ષા
રોકી શકે નહિ) ૧૯ રામચંદ્રજી પ્રતિકૂલ છતાં જયભૂષણ મહારાજ સીતાજીને અને રાજમાતા સાધુને ધકકો
દેવડાવી કાઢી મહેલે છે છતાં કીર્તિધર સાધુ સુકોશલને દીક્ષા આપે છે (માતા દીક્ષાના દ્વેષથી આર્તધ્યાન પામી મરી શિયાળણી થાય છે, અને રામચંદ્રજી મૂચ્છિત થઈ બેભાન
થાય છે, તો પણ કોઈ જ્ઞાની તે દીક્ષાને તિરસ્કારતા નથી.) ૨૦ સૂત્રકૃતાંગમાં દીક્ષિત થયેલા કે દીક્ષા લેનારને અંગે જણાવેલ ઉપસર્ગો જોતાં તથા
વ્યાકરણોના મનાવો વાળા સૂત્રને જોતાં સ્પષ્ટ થાય છે કે મોહાધીનોની વિરૂદ્ધતા દીક્ષાને રોકનાર નથી અને જેઓ તેવી વિરૂદ્ધતાથી દીક્ષાથી વિમુખ બને તેઓ ધર્મની પરિણતિ
વગરના સત્વહીન તથા ભારે કર્મી છે એમ સ્પષ્ટ જાહેર થાય છે. ૨૧ સોળ વરસની ઉંમર થતાં સુધી અવ્યક્ત બાળક ગણાય છે અને તેને નસાડે, ભગાડે.
કે નાસી ભાગી આવેલાને દીક્ષા આપે તો તે અપહારથી શૈક્ષનિષ્ફટિકા લાગે છે. (સર્વ અવસ્થામાં શૈક્ષનિષ્ફટિકા લાગતી નથી. નિશીથ અને પંચકલ્પના ભાષ્યમાં સ્પષ્ટપણે અવ્યક્ત બાળક જેની ઉંમર સોળથી ઓછી હોય, તેનાજ અપહારમાં શૈક્ષનિષ્ફટિકા
ગણાવી અધિક ઉંમરવાળા માટે નિષ્ફટિકાનો નિષેધ કરેલ છે. ૨૨ આર્યરક્ષિત માટે શૈક્ષનિષ્ફટિકા ગણી છે પણ તેઓની દીક્ષા વખતે ૧૧ વર્ષની ઉંમર
યુગપ્રધાનગંડિકામાં સ્પષ્ટપણે જણાવેલ છે. જો કે ખરતરગચ્છીય ગણધર સાર્ધશતકની વૃત્તિ આદિમાં તેઓની દીક્ષા વખતે બાવીસ વર્ષની ઉંમર જણાવી છે પણ ત્યાં
શૈક્ષનિષ્ફટિકા જણાવી નથી. ૨૩ શ્રી સ્થાનાંગ સૂત્રને પંચકલ્પમાં “ઇલાષા” આદિ દીક્ષાના સોળ ભેદ જણાવેલ છે
તેમાં માત્ર મવપત (ગુરુસેવા) અને આધ્યાતિ (ગુરુ મહારાજનો ઉપદેશ) થી કે તેવી કેટલી માત્ર દીક્ષામાં જ કુટુંબીજનોની અનુમતિ જોવાય છે તેથી કુટુંબની અનુમતિ હોય તો જ દીક્ષા જેવી કે લેવી એવો નિયમ નથી.