Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫
શ્રી સિદ્ધચક્ર
તા.ર૦-ક-૩૪
જ સમાલોચના | 4
(નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) વિચક્ષણને વિચારણીય વાતો. ૧ ગર્માષ્ટમ, જન્માષ્ટમ અને જન્માષ્ટ વર્ષોની જ અપેક્ષાએ “આઠ વર્ષથી” દીક્ષાની યોગ્યતા
માની છે. ભાષાની દૃષ્ટિએ ગુજરાતીમાં આઠમું વર્ષ બેસે ત્યારથી આઠ વર્ષ ગણાય છે. દીક્ષાના અઢાર દોષોમાં જે બાલ” નામનો દોષ જણાવી બાળકને દીક્ષા માટે જે અયોગ્ય માન્યો છે તે આપેક્ષિક છે; ને તેથી જ “પ્રવચન સારોદ્ધાર વૃત્તિકાર” વગેરે સ્પષ્ટપણે જણાવે છે કે આ દીક્ષાના અઢાર દોષમાં “બાલ” દોષ “જન્માષ્ટમ કે ગાર્માષ્ટમ”થી પહેલાંના બાળકો માટે જાણવો.
પ્રવચન સારોદ્વાર.” “ઉપમિતિ ભવપ્રપંચ,” “અષ્ટકવૃત્તિ” આદિ ગ્રંથોમાં બાલદીક્ષિત સાધુઓના અધિકાર હોવાથી; તેમજ “નિશીથ ભાષ્યકાર” તથા “પંચકલ્પ ભાષ્યકાર,” “શૈક્ષનિષ્ફટિકાના” અધિકારમાં સોલ વરસની ઉંમર થતા સુધી અવ્યક્ત ગણી બાળક ગણે છે, માટે બાલદીક્ષા અયોગ્ય જ છે એમ કહી શકાય નહિ. આચારાંગમાં “ જે વયસાવિ ” ના અધિકારમાં “અપિ” શબ્દથી પહેલીને છેલ્લી અવસ્થાને પણ દીક્ષા યોગ્ય ગણી છે. “કલ્પસૂત્ર' સુબોધિકા વૃત્તિમાં આઠ વર્ષની બાલ્યાવસ્થા ઓલંધ્યા પછી યૌવનદશાનો અધિકાર છે. પ્રતિમા પ્રતિપન્નાદિ એકાકી વિહાર કરનારા યૌવનવયે દીક્ષિત હોય છે (કેમકે) શીતથી થયેલા કંપનમાં કામની શંકા નિવારણ કરવાનો સંભવ યૌવનદશામાં જ હોય છે. ભગવાન વજસ્વામીજીને તેમની માતાએ સાક્ષીઓ કરવા પૂર્વક તેમના પિતા ધનગિરિને આપેલા છતાં માતા શય્યાતરો પાસેથી પાછા માગે છે ત્યારે શ્રાવકો તે માતાને નથી તો સમજાવી શકતા કે નથી એમ કહી શકતા કે “તારો હવે અધિકાર નથી,” પરંતુ “આ તો ગુરુ મહારાજની થાપણ છે” એમ કહી ખસી જાય છે. ગુરુ મહારાજના આવ્યા પછી પણ માતા વજસ્વામીજીની માગણી સાધુઓ પાસે કરે છે પરંતુ પોતે સાક્ષી સાથે રાખીને તે ભગવાન વજસ્વામીજીને તેના બાપ ધનગિરિ તથા મામા આર્યસમિતિને આપ્યા છે તે વાત ભૂલી જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ સંઘ સિવાય દીક્ષા લેવડાવવાના પક્ષમાં કોઈ રહેતું નથી.”