Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૦-૬-૩૪
૪૦.
શ્રી સિદ્ધચક્ર સર્વવિરતિની પ્રાપ્તિ વિગેરે માટે સર્વવિરતિ શ્રમણ સંઘની સેવા માટે હોઇ તેઓએ પોતાના વર્ગમાં પણ શ્રમણવર્ગના બહુમાનથી નિરપેક્ષ થયા વિના જ અધિકાર
ચલાવવાનો હોય છે. શ્રમણવર્ગને આરાધતાં જન્મની સફળતા માનનારો તે વર્ગ હોય. ૪૬ સાધુઓને, પારકા છોકરા લાવી, ખોટા માબાપો બની રજા આપી, દીક્ષા દેવડાવી
ફસાવે નહિ માટે તેના ખરાપણાના નિર્ણયની જરૂર ગણી છે. સ્વયં નિર્ણય થાય ને
જરૂર ન જણાય કે શ્રાવકો બેપરવા રહે તો દીક્ષા રોકાવવા માટે કોઈ કહે નહિ. ૪૭ સાધુ અને સાધ્વીઓને વડી દીક્ષા અપાય છે ત્યારે આચાર્ય અને ઉપાધ્યાયનો દિબંધ
કરી તેઓને આચાર્ય અને ઉપાધ્યાયની આજ્ઞા વિના કંઈપણ કરવાનું હોય નહિ એમ નક્કી કરવામાં આવે જ છે. સાધ્વીઓને ત્રીજી પ્રવર્તિનીની આજ્ઞા હોય છે, પરંતુ તે
પણ આચાર્ય અને ઉપાધ્યાયની આજ્ઞાએ જ વર્તી શકે છે. ૪૮ અવિનીત શિષ્યની સુધારણા માટે રાજાજિતશત્રુનો આચારાંગવૃત્તિમાં આચાર્યદ્વારા
થયેલો પ્રયત્ન અને યોગશાસ્ત્રવૃત્તિ વિગેરેમાં સાધ્વી ક્ષેત્રવ્યાખ્યા તપાસતાં સંયમની શોભામાં રાજી થનાર ઈતર વર્ગને પણ કંઈક પ્રયત્ન સંયમ શોભા માટે કરવો પડે તેમાં
આશ્ચર્ય નથી. ૪૯ પંચવસ્તુ વિગેરે શાસ્ત્રોમાં ઉપેક્ષા કરનાર ગુરુ દોષભાજન ગણી શિક્ષા દાતાને નિર્દોષ
જણાવેલ છે. ૫૦ શાસ્ત્રોમાં સંદિષ્ટ પાસેનો ભાંગો જ ઉપસંપદમાં શુદ્ધ ગણેલો છે. ૫૧ શ્રી ઉપદેશમાલા વિગેરેમાં એકાકી વિચરવાવાળાને ધર્મ (સાધુધર્મ)નો અસંભવ
જણાવેલો છે. પર શુદ્ધ સાધુને પણ સ્ત્રીનો પરિચય કલંક દેનાર છે એમ ઉપદેશમાળા વિગેરેમાં સ્પષ્ટ છે. પ૩ તીર્થરક્ષા વિગેરેના કાર્યો સાધુઓને પણ કર્તવ્ય તરીકે છે. ૫૪ જ્ઞાનદર્શન અને ચારિત્રની વૃદ્ધિ માટે ગચ્છવાસની જરૂર શાસ્ત્રકારોએ જણાવેલી છે. પપ જૈનશાસનનું મુષ્ટિજ્ઞાન એ જ છે કે આશ્રવ સર્વથા છાંડવાલાયક ને સંવર સર્વથા
આદરવા લાયક છે. પ૬ શ્રાવકોને સાધર્મિક (શ્રાવકો)ની ભક્તિનો ઉપદેશ શ્રી મુનિચંદ્ર સૂરિજી વિગેરેએ સ્પષ્ટપણે
આપેલો છે. ૫૭ અભ્યાખ્યાન પિશુન અને પરપરિવાદને સમજનારો મનુષ્ય કોઇની પણ નિંદા કરે નહિ. ૫૮ અન્ય તીર્થિકો તરફથી શાસનની અપભ્રાજના ટાળવા માટે શ્રીવજસ્વામીજી વિગેરે ફૂલ
લાવવા વિગેરેનું પ્રવર્તન કરવું પડયું એ સમજનારો સર્વાશે અપભ્રાજના ટાળવા માટે
પ્રયત્ન કરે. પ૯ દીક્ષા વિગેરે ધર્મકાર્યમાં રાજ્યસત્તાનો પ્રવેશ અયોગ્ય છે એમ અખિલ ભારતવર્ષીય
મુનિઓએ ને સકલસ્થળના તેને અનુસરનારા શ્રી સંઘોએ સ્પષ્ટ કર્યું છે કે દીક્ષા પ્રતિબંધક કાયદો કરનારી સત્તા ધાર્મિક નહિ પણ બીજી જ જાતની છે.