Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૯
તા.ર૦-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર પણ) કુટુંબને સર્વવિરતિની તત્કાલ પ્રાપ્તિ, કાલાંતર પ્રાપ્તિ અને અનુમોદના થવા માટે કે ભાવદયાથી તેઓને કર્મબંધથી બચાવવા માટે સ્વદીક્ષાની હકીકત જણાવે તેમાં કશું
અનુચિત નથી. ૩૫ પોતાની ગેરહાજરીમાં પોતાની મિલ્કત રફેદફે થઈ જાય અને પોતાને ભર્તવ્ય તરીકે
ગણાયેલા માતપિતા આદિ હેરાન થાય તે ઉચિત ન ગણી યથાશક્તિ નિર્વિલંબપણે
યોગ્ય વ્યવસ્થા કરે તેમાં અયોગ્ય કર્યું કહેવાય નહિ. ૩૬ અઢાર દોષ પૈકીનો કોઈ દોષ દીક્ષાર્થીમાં હોય તો જ તેની દીક્ષાની યાચના છતાં તે
ન આપવામાં મહાવ્રતધારી નિર્દોષ છે. ૩૭ પુરાણ શ્રાદ્ધ, રાજા કે રાજામાત્ય સિવાયને ચોમાસા-કે રાત-ની વખતે દીક્ષા માગે તો
પણ ના પાડવામાં દોષ ન હોવાથી સામાન્યથી ઋતુબદ્ધ આદિ કાલના વિધાનમાં
અડચણ જ નથી. ૩૮ અગીતાર્થને દીક્ષા દેવાનો અધિકાર ન હોવાથી પદસ્થ વગેરેને પૂછીને દીક્ષા આપવાનું
વિધાન અયોગ્ય નથી. ૩૯ દેવદ્રવ્યનો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન કે સાધારણમાં ઉપયોગ કરવાનો
મનોરથ કરવો તે પણ પાપમય છે. ૪૦ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલી બોલવાનો રિવાજ હજાર વર્ષ પહેલાંથી ચાલે છે અને તે
દિગંબરોમાં માન્ય ગણાયેલો હતો. તેથી તે નિમિત્તે બોલાતું દ્રવ્ય જ્ઞાન આદિ ખાતામાં
લઈ જવાથી પાપભાગી થવાય છે. ૪૧ ચોખા, ફલ વિગેરેની આવક એ દેવદ્રવ્યનો કલ્પિત કે ચરિત નામનો દેવદ્રવ્યનો ભેદ
છતાં તે પ્રભુપૂજા કે ચૈત્ય એ બન્નેમાં ઉપયોગી થઈ શકે છે. ૪૨ શ્રી ઋષભાદિક તીર્થંકર મહારાજાઓને અંગે પણ થતી આવક તે તે ઋષભાદિકના નામે
દ્રવ્ય ન ગણાતાં માત્ર દેવદ્રવ્ય તરીકે જ ગણાય છે માટે તેનો ઉપયોગ પણ સર્વ
જિનેશ્વરોની મૂર્તિ અને ચૈત્યોને અંગે થાય તેમાં ઉચિતતા જ છે. ૪૩ આવશ્યક ચૂર્ણિવૃત્તિ, ઉપમિતિભવપ્રપંચા કથા, પંચકલ્પચૂર્ણિ અને નન્દી સૂત્ર આદિને
અનુસારે અંગ તરીકે સાધુ સમુદાય જ સંઘરૂપ છતાં પણ શ્રી ભગવતીજી અને સ્થાનાંગાદિમાં કહેલ ભેદ પ્રમાણે પરિવારસહિતપણાની અપેક્ષાએ વ્યવસ્થા કરવાની
હોઇ શ્રમણો પ્રધાન છે જેમાં તે શ્રમણ સંઘ એમ કહેવું અયોગ્ય નથી. ૪૪ શાસન, તીર્થ, આગમ-વિરોધ આદિના પ્રતિકારનાં કાર્યો ચતુર્વિધ સંઘે મળીને કરાય
છે ને કરવાનાં છે. એવા કાર્યોમાં ચતુર્વિધ સંઘને જરૂર સંબંધ હોવાથી એકલો શ્રમણવર્ગ
કે શ્રાવકવર્ગ તે કાર્ય કરતો નથી ને કરે પણ નહિ. ૪૫ શ્રાવકસંઘની સ્થાપના જ સમ્યકત્વ પાલન કરવા પૂર્વક દેશવિરતિની આરાધના કરતાં