Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કક વૈરાગ્ય વાસનાના વિવિધ કારણો. કડ
જિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનાર વિજ્ઞપુરુષોને સંસાર કારાગારથી કૃત્સા થાય તેમાં આશ્ચર્ય નથી છતાં કદાચિનુ મોહની પ્રબળતાથી વિષયમાં આસકત થવાને લીધે સંસારનો મોહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતો હોય તો પણ કોઈક હળુકર્મીને સંસારની વિચિત્ર લીલા પણ વૈરાગ્યનું કારણ બને છે અને તેથીજ સિદ્ધર્ષિ મહારાજ વૈરાગ્યનાં કારણો જણાવતાં નીચે જણાવેલાં પણ કારણો જણાવે છે :
ભાર્યાવિપરીતપણાને આચાર, પુત્ર અવિનીતપણું કરે, છોકરી મર્યાદાને ઓળંગે, બહેન કુળની મર્યાદાને પ્રતિકૂળપણે આચરણ કરે, ધર્મદ્રારાએ ખરચાતા ધનને અંગે ભાઈઓ (કુટુંબીઓ) અનુમોદના નહિ કરતાં અપમાન કરે, ઘરના કામોમાં આ ઢીલો છે એમ કહી દુનિયાદારીના સ્વાર્થમાં રાચેલા માતપિતા લોકોની સમક્ષ પણ તિરસ્કાર કરે, કુટુંબવર્ગ સ્નેહને લાયકના કોઈપણ સંસ્કાર આચારે નહિ, પણ વિરૂદ્ધ પુરુષના જેવા જ આચારો આચારે, દાસદાસી આદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, અત્યંત લાલનપાલન કરીને પોષાયેલું પણ શરીર અધમ મનુષ્યની માફક સર્વ ઉપકારને ભૂલી જઈ રોગાદિક વિકારોને જ આગળ કરી જીવને પરાધીન કરે, અથવા તો કોઈ તેવા લાભાન્તરાયના ઉદયથી પોતાનો કે વડીલોનો ઉપાર્જન કરેલો ધનસંચય વિજળીના વિલાસની માફક અકાળે જ નાશ પામી જાય, ત્યારે આવી રીતનાં દસ કારણો એકી સાથે અગર ઓછાવત્તા બને તે સિવાયનું બીજાં તેવું રાજરોગ પરાભવ વિગેરેનું આકસ્મિક કાર્ય બની જાય ત્યારે પણ સંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી જીવને ખીર ખાઈને નૃત્ય થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુર્ગધી એવી રાખ જેવી અરુચિ કરનારી થાય તેવી રીતે આ આખો પણ સંસારનો પ્રપંચ જે મોહના ઉદયના લીધે અસાર છતાં સારરૂપ લાગતો હતો, તે જ અત્યારે મોહરૂપી મદિરાના છાટકાપણાનો નાશ થવાથી યથાવસ્થિતરૂપે મનમાં ભાસે છે અને તેથી સંસાર એટલે માતાપિતા, કુટુંબકબીલો અને આરંભ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણના
(અનુસંધાન ટાઈટલ પા. ૨)