Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૨૯
પ્રશ્નફાર: ચતુર્વિધ સંઘ
#માધાનશ્રાદ: ક્ષકારત્ર ઘટિંગત ગમોધ્ધારક_ શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી મ.
Hoe
પ્રશ્ન ૬૬૨-સમ્યગ્દષ્ટિ વિગેરેમાં જે સંખ્યાતગુણી નિર્જરા કહેવાય છે તેમાં સંખ્યત્વથી દેશવિરતિ વિગેરેમાં અસંખ્યાતગુણી નિર્જરા સમ્યગુષ્ટિ વિગેરેની અપેક્ષાએ લઈ શકાય પણ સમ્યગૃષ્ટિપણામાં અસંખ્યાતગુણી નિર્જરા કોની અપેક્ષાએ ગણવી ? સમાધાન- ગ્રંથી આગળ રહેલા દેશોનકોટાકોટિ કર્મની સ્થિતિવાળા મિથ્યાષ્ટિજીવોને કર્મની નિર્જરા સરખી હોય છે, તેના કરતાં ધર્મનું સ્વરૂપ પૂછવાના વિચારવાળાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે, તેના કરતાં ધર્મસ્વરૂપને પૂછવાની ઈચ્છાએ સાધુ પાસે જવાની ઈચ્છાવાળાને અને જનારને અસંખ્યાતગુણી નિર્જરા ોય છે, અને તેના કરતાં પૂછવાની ક્રિયાવાળો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે, તેના કરતાં પણ ધર્મને લેવાની ઈચ્છાવાળો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે, તેના કરતાં ધર્મ અંગીકાર કરવાની કિયાવાળો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે, અને તેના કરતાં પણ ધર્મ પામેલો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે. આ બધી નિર્જરા સમ્યગ્દષ્ટિ શબ્દથી લીધેલી છે અને તે ગ્રંથિક મિથ્યાષ્ટિ જીવો કરતાં અનુક્રમે અસંખ્યાતગુણી જાણવી અને તેથી જ નિયુકિતકાર મહારાજે સમ્યગુદૃષ્ટિ શબ્દને સ્થાને સમ્યકત્વ ઉત્પત્તિ કહેલી છે. પ્રબ ૬૬૩- સમ્યગુદર્શનની ઉત્પત્તિને અંગે જેમ ધર્મપૃચ્છાના વિચારવાળા જીવો વિગેરે ભેદો છે તેવી રીતે સમ્યગદષ્ટિ કરતાં અનુક્રમે અસંખ્યાત સંખ્યાતગુણ નિર્જરાવાળા શ્રાવકપણામાં ને સાધુપણામાં પેટાભેદો છે કે નહિ ? સમાધાન-શ્રાવક અને સાધુપણામાં પણ તે તે વિરતિને લેવાની ઈચ્છાવાળો, લેતો અને લીધેલો એ ત્રણ પણ પૂર્વ સ્થાનની અપેક્ષાએ અસંખ્યાતગુણી નિર્જરાવાળા છે. એવી રીતે અનંતાનુબંધીનું ખપાવવું, દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિનું ખપાવવું, ઉપશમ શ્રેણીમાં રહેવું, ઉપશાંત મોહપણું, ચારિત્રમોહનીયનું ખપાવવું અને ક્ષીણમોહનીયપણું એ બધામાં અભિમુખપણું, ક્રિયા કરવા પણું અને સંપૂર્ણપણું એ ત્રણ વાનાં જોડવાં એટલેકે પૂર્વ સ્થાન કરતાં અભિમુખને અસંખ્યાતગુણી નિર્જરા અને અભિમુખ કરતાં ક્રિયારૂઢને અસંખ્યાતગુણી નિર્જરા અને તેના કરતાં પણ સંપૂર્ણવાળાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે.