Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૫
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધયક સમ્યકત્વ પ્રાપ્તિ અનુપમ આનંદ
ભલા સમ્યકત્વ પ્રાપ્તિમાં એટલી બધી શી વિચિત્રતા છે કે જેને લઈને જીવને આટલું બધું આશ્ચર્ય થાય છે? જેમ કદી નહિ જોયેલ અને અપૂર્વ એવી વસ્તુને જોવાથી હૃદયપટ ઉપર એના આનંદની એવી સચોટ છાપ પડી જાય છે કે એ વસ્તુ જોવાનું બંધ થઈ જવા છતાં એ આનંદની મીઠી લાગણીની ઊર્મિઓ હૃદયમાં ઉડ્યા જ કરે છે અને એથી એ વસ્તુના સ્મરણમાત્રમાં વારંવાર આનંદનો આસ્વાદ મળે છે. તેવીજ રીતે જે આત્માએ પહેલાં કદી પણ પોતાના સત્ય સ્વરૂપનું દર્શન નથી કર્યું તેને જ્યારે મિથ્યાત્વના નાશ અને સમ્યકત્વની પ્રાપ્તિના કારણે પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે ત્યારે એક અપૂર્વ વસ્તુ જોવામાં આવવાથી એવો વિચિત્ર રસ ઉત્પન્ન થાય છે કે એનો નાશ નિગોદમાં પણ થવા સંભવ નથી. એ વખતે આત્માનું અનાદિ અનંતનું ચક્કર બંધ થાય છે એટલું જ નહિ પરંતુ કદાચ સંયોગવશાતુ પોતાની સ્થિતિથી પાછો પડે તો પણ તેને પોતાની સમ્યકત્વ પ્રાપ્તિરૂપ સ્થિતિનો નાશ થવાનો ભય રહેતો નથી.
હવે આપણે મિથ્યાત્વનો નાશ અને સમ્યકત્વની પ્રાપ્તિ-એ વખતે કઈ સ્થિતિ હોવી જોઇએ એનો વિચાર કરીએ. શાસ્ત્રકાર તો જે નયે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય એ સમયની અપેક્ષાએ તો એ જીવને એટલો બધો ભાગ્યશાળી ગણે છે કે જેથી એની-સમ્યકત્વ પામતાં જીવની-આગળ સર્વવિરતિવાળા (સાધુને) પણ એટલા ભાગ્યવાન નથી ગયા અને તો પછી સમકિત પામેલા ચોથા ગુણઠાણાવાળા અને પાંચમા ગુણઠાણામાં વર્તમાન દેશવિરતિની તો વાત જ શી કરવી ? શાસ્ત્રકાર તો સાફ શબ્દોમાં કહે છે કે સમકિત પામેલ (ચોથા ગુણસ્થાનકમાં વર્તમાન) કરતાં પાંચમા ગુણસ્થાનકવાળાની, પાંચમા કરતાં છટ્ટાવાળાની, અને છઠ્ઠાવાળા કરતાં પણ અનંત વિયોજકવાળા (સમકિત પામતાં) જીવની નિર્જરા ઉત્તરોત્તર અસંખ્યાતગણી હોય છે. જેમ તમે ચોપડો તપાસવા બેઠા અને એકદમ ૨૫૦૦૦) જેવડી રકમ ખતવ્યા વગરની તમારા જોવામાં આવી. આવડી મોટી રકમ અને તે પણ પાછી તમારે બીજાની પાસેથી ન્યાયદષ્ટિએ વસુલ કરવાની. ભલા એ વિચારમાત્રથી જ તમારું હૃદય કેવા અપૂર્વ આનંદના આવેશમાં નાચી ઉઠવાનું એ આનન્દનું માપ એક પલ્લામાં મૂકો અને પછી તમે એ રકમની ઉઘરાણી કરી, દાવો માંડયો, હુકમનામું પણ થયું અને છેવટે એ આખીયે રકમ અણીશુદ્ધ વસુલ પણ થઈ ગઈ. એ રકમ વસુલ થવાનો આનંદ બીજા પલ્લામાં મૂકો અને પછી તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપો કે એ બન્ને પલ્લામાં કયું પલ્લું નીચે બેસે છે? તમારે કબુલ કરવું પડશે કે પહેલા પલ્લાનો આનંદ બીજાના કરતાં કેટલાય ગણો અધિક હતો. તેજ પ્રમાણે આત્મા પણ જે સમયે