Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૧
શ્રી સિદ્ધચક્ર
તા.૨૯-૪-૩૪
આમોઘદેશના
મૌધાર,
(દેશનાકાર)
:
Wiel
ની
વેક,
સરસ
અસરક.
જન્મ અને કર્મ અનાદિ તત્ત્વ
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન્ ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ' કરતા થકા જણાવી ગયા કે-જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડે છે. જીવનું રખડવું એ આપણા અનુભવ બહાર નથી, પણ તે રખડવાનો વખત કયારથી શરૂ થયો ? કયા મારે દાણો લણ્યો, કયા ખેડુતે વાવ્યો, પાછો કયાએ લણ્યો વિગેરે હકીકત માલમ ન હોવા છતાં, આ દાણાને કોઇકે લણ્યો અને કોઈકે વાવેલો છે, વિગેરે સમજી શકીએ છીએ. જેમ આ વસ્તુ (લણવા અને વાવવા) વગર દાણાનું અસ્તિત્વ હોય નહિ, તેમ આ શરીરના જન્મને પ્રત્યક્ષ દેખીએ છીએ જન્મનાં કારણો કેવી રીતે મેળવ્યાં એ વિગેરે કશું આપણે જાણતા નથી, પણ દાણાનો સ્વભાવ તપાસતાં બધું માલુમ પડે છે તેમ મનુષ્ય જન્મનાં કારણોને આપણે જાણતા નથી છતાં એટલું જરૂર જાણવું પડે છે કે-કોઈ કારણભૂત કર્મ જરૂર છે. જેમ ત્યાં બીજને કારણ તરીકે માન્યા પછી, એ બીજની કલ્પના ક્યાંથી કરી, એ વિચાર કરતી વખતે પાછા એને એ (અંકુર-બીજની) કલ્પનામાં જઇએ છીએ તેમ અહીં પણ એ પૂર્વભવમાં મનુષ્યપણાને લાયક કર્મો બાંધ્યાં તેથી જન્મ થયો. મનુષ્યપણાને લાયક કર્મ લાગવાનું કારણ તપાસીએ તો પહેલાનો જન્મ કારણભૂત બને છે. આ પ્રમાણે પહેલાં કર્મ પછી જન્મ, પછી કર્મ પછી જન્મ એ પ્રમાણે પરંપરાનો વિચાર કરતાં છેવટે બીજ, અંકુરની માફક અનાદિ પરંપરા માનવી પડે છે. જેમ બીજને પહેલું માનીએ તો એ ખોટી રીતે માનવું પડે કારણકે અંકુર વગર બીજ ન સંભવી શકે અને અંકુરને પહેલો માનીએ તો એ પણ એટલું જ ખોટું છે કારણકે બીજ વગર અંકુરની સંભાવના પણ આકાશકુસુમ જેવી છે, તેમ અહીં પણ જો આપણે જન્મ વગર કર્મ માનીયે તો કર્મને આદિ વસ્તુ તરીકે