SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ શ્રી સિદ્ધચક્ર તા.૨૯-૪-૩૪ આમોઘદેશના મૌધાર, (દેશનાકાર) : Wiel ની વેક, સરસ અસરક. જન્મ અને કર્મ અનાદિ તત્ત્વ શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન્ ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ' કરતા થકા જણાવી ગયા કે-જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડે છે. જીવનું રખડવું એ આપણા અનુભવ બહાર નથી, પણ તે રખડવાનો વખત કયારથી શરૂ થયો ? કયા મારે દાણો લણ્યો, કયા ખેડુતે વાવ્યો, પાછો કયાએ લણ્યો વિગેરે હકીકત માલમ ન હોવા છતાં, આ દાણાને કોઇકે લણ્યો અને કોઈકે વાવેલો છે, વિગેરે સમજી શકીએ છીએ. જેમ આ વસ્તુ (લણવા અને વાવવા) વગર દાણાનું અસ્તિત્વ હોય નહિ, તેમ આ શરીરના જન્મને પ્રત્યક્ષ દેખીએ છીએ જન્મનાં કારણો કેવી રીતે મેળવ્યાં એ વિગેરે કશું આપણે જાણતા નથી, પણ દાણાનો સ્વભાવ તપાસતાં બધું માલુમ પડે છે તેમ મનુષ્ય જન્મનાં કારણોને આપણે જાણતા નથી છતાં એટલું જરૂર જાણવું પડે છે કે-કોઈ કારણભૂત કર્મ જરૂર છે. જેમ ત્યાં બીજને કારણ તરીકે માન્યા પછી, એ બીજની કલ્પના ક્યાંથી કરી, એ વિચાર કરતી વખતે પાછા એને એ (અંકુર-બીજની) કલ્પનામાં જઇએ છીએ તેમ અહીં પણ એ પૂર્વભવમાં મનુષ્યપણાને લાયક કર્મો બાંધ્યાં તેથી જન્મ થયો. મનુષ્યપણાને લાયક કર્મ લાગવાનું કારણ તપાસીએ તો પહેલાનો જન્મ કારણભૂત બને છે. આ પ્રમાણે પહેલાં કર્મ પછી જન્મ, પછી કર્મ પછી જન્મ એ પ્રમાણે પરંપરાનો વિચાર કરતાં છેવટે બીજ, અંકુરની માફક અનાદિ પરંપરા માનવી પડે છે. જેમ બીજને પહેલું માનીએ તો એ ખોટી રીતે માનવું પડે કારણકે અંકુર વગર બીજ ન સંભવી શકે અને અંકુરને પહેલો માનીએ તો એ પણ એટલું જ ખોટું છે કારણકે બીજ વગર અંકુરની સંભાવના પણ આકાશકુસુમ જેવી છે, તેમ અહીં પણ જો આપણે જન્મ વગર કર્મ માનીયે તો કર્મને આદિ વસ્તુ તરીકે
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy