Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬
શ્રી સિદ્ધચક્ર
તા.૩૧-૧૨-૩૩
માંગણીનો સ્વીકાર
સુધા-સાગર
૧૪ સ્વસમયના ગુણો અને પર સમયના દોષો બડબડાટ કરવા માટે સમજાવતા નથી, પણ દર્પણમાં
પડેલા પ્રતિબિંબને દેખીને જે સતુ ઉઘમ કરતાં શીખ્યા છો, તેવો સફળ ઉદ્યમ કરવા માટે
સમજાવાય છે. ૧૫ દર્શનમોહ નામનું કર્મરૂપી કાળકૂટઝેર પીધેલ આત્મા હીત માર્ગ દેખી શકતો નથી. ૧૬ કર્મશત્રુઓના સંહાર માટે ધર્મીઓએ ધર્મ અને ધર્મના સાધનોનો સત્વર ઉપયોગ કરવો ઘટે છે. ૧૭ સમ્યકત્વ પહેલો પામેલ હોય તેના કરતાં નવો સમ્યકત્વ પામે તે વખતે કર્મ ઉપર સર્ણ દ્વેષ
હોય છે. ૧૮ ચોથા ગુણસ્થાનકવાળા કરતાં પાંચમાવાળાને અસંખ્યાત ગુણી, અને તે કરતાં છટ્ટાવાળાને
અસંખ્યાત ગુણી અને તે કરતાં અનંતાનુબંધીની જડ જે ખપાવે તેની અસંખ્યાત ગુણી નિર્જરા
થાય. ૧૯ સાડાત્રણ ક્રોડ રૂંવાડામાં રૂંવાડે રૂંવાડે થાય કે કર્મને ફાડી નાંખું, ચીરી નાંખ્યું ત્યારે જે નિર્જરા
થાય તેને શાસ્ત્રકારો અનંત નિર્જરા કહે છે. ૨૦ આજકાલમાં ધર્મપ્રવૃત્તિ પ્રાય, વરરાજા વિનાની જાન જેવી છે. ૨૧ કર્મની નિર્જરા, કર્મનો ક્ષય એજ મુદ્દાએ ધર્મ પ્રવૃત્તિમાં આગળ વધો. ૨૨ નુકશાન કરનારા વસ્તુતઃ નિર્જરા કરાવનાર હોવાથી આપણા મિત્રોજ છે, અર્થાત્ રૂપિયા દેતાં
છતાં પણ ભુંડું કરનાર જગતમાં કોઈ શોધ્યો જડે તેમ નથી. ૨૩ જે લડાઇમાં તું સામેલ હોય તે લડાઈ થઈ રહે પછી નિરાંતે બેસી વિચાર કરીશ તો તને ભુલ
માટે પશ્ચાતાપ થશે, સામો માણસ ગુન્હેગાર હશે તો પણ તું માફી આપવામાં મગરૂરી
માનીશ. ૨૪ માફી અને મહેતલ (અમુક મુદત)માં મહાન અંતર છે, તેવું દ્રવ્યદયા અને ભાવદયામાં અંતર
છે; એટલે દ્રવ્યદયા એ અમુક કામ માટેની હેતલ છે, જ્યારે ભાવદયા એ સર્વદાની માફી છે. ૨૫ સાચું માનેલું જાડું ઠરી જાય તેટલા માત્રથી સાચા પ્રત્યે અનાદર ન કરો, તેમ જૂઠ પ્રત્યે
આદરવાળા ન થાઓ.