Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮દ '
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર એક દિવસ પૂfબદ્દે પોતાની વીંટી સાચવવા પોતાની સ્ત્રીને આપી ને તેણીએ પોતાના ખાનગી આભરણના કરંડીયામાં સંતાડી રાખી તે પુર્ણભદ્ર જોઈ હતી પછી થોડીવારે પુર્ણભદ્ર કરંડીયામાંથી પોતાની વીંટી લીધી પણ તેમાં કુંડલયુગલ જોયા ને હાથમાં લઈ જોવા લાગ્યો ને વિચાર્યું કે આ કુંડલ ખોવાઈ ગયા હતા ને ક્યાંથી આવ્યા હશે? તેવામાં તેણીએ કુંડલ હાથમાં લીધેલા મને જોઈ શરમાઈ ગઈ ને હું પણ તેના મનનો ભાવ જાણી બહાર નીકળી ગયો. આ બાજુ તેણીએ મને મારી નાખવા ઝેરભેળવી ભોજન તૈયાર કર્યું એવામાં કાલાસર્ષે આવી તે નદયતીને ડંશ કર્યો ને તે મરી ગઈ. તે વાત મારા જાણવામાં આવવાથી મેં નિર્વેદ પામી દીક્ષા અંગીકાર કરી.”
આ પ્રમાણેનું તે અવધિજ્ઞાની મુનિનું ચરિત્ર સાંભળી તે નિર્વેદના કારણે તે સિંહકુમાર ! મેં ચારિત્ર અંગીકાર કર્યું છે ત્યારબાદ ધર્મધોષ સૂરીજી ફરી પણ કેવી રીતે સિંહકુમારને ધર્મ સંભળાવે છે તે હવે પછી
સુધારો ચાલુ વર્ષના ૭મા અંકમાં પા. ૧૫૬ લીટી ૮ “ચૌદરાજ”ને બદલે “રાજ” સુધારી વાંચવું. પરચકખાણ પારવાના કોઠામાં મહાસુદ ૧૫ ભોમે રોહિણી છે, તેને બદલે મહા સુદ ૧૧ને શુકરે રોહિણી છે.
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે “તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી; તેમજ બાઈડીંગ પણ બેદરકારને લઈને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી. | (સમાલોચના પા. ૧૮૭નું અનુસંધાન) ૧ આચારાંગાદિસૂત્રો કે તેના અર્થને વાંચવા ભણવાનો પણ જેઓને અધિકાર નથી તેવાઓનો અવાજ શ્રમણગણસંઘમાં ન હોય તેટલું પણ જેઓ ન સમજે તેઓની સમજની બલિહારી !
૨ પૂ. શ્રીદેવર્કિંગણિક્ષમાશ્રમણે સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યો તેમાં કુંવરજીભાઈ શા આધારે કહે છે કે શ્રાવકો તેમાં સામિલ હતા? તેમાં શું શાસ્ત્રધાર દેખાડવાની જરૂર નથી ? - ૩ ડાહ્યા. શ્રાવકો તો પોતાની ઉપાસક તરીકેની ફરજ સમજે છે, તેઓના તો મનમાં પણ ન હોય કે અમારા વિના મુનિસંમેલન નકામું તેઓ તો મુનિ વિના અમેજ નિરર્થક છીએ એમ માનનારા હોય.
૪ મુનિ સંમેલનમાં શાસ્ત્રાનુસાર કાર્યોને સ્થાન જરૂર હોય, પણ સામાજિકકાર્યોને તેમાં ઘુસેડવા મથનારા ભીંત ભૂલે છે.
૫ આરંભ પરિગ્રહમાં આસકતોની સત્તા ત્યાગમયપ્રવચનમાં ચાલી નથી, ચાલતી નથી અને ચાલશે પણ નહિં શ્રમણગણરૂપી સંઘે તો શાસનને ચલાવ્યું છે, ચલાવે છે અને ચલાવશે, તેમાં શંકાને સ્થાન નથી.
જૈન- તા. ૭-૧-૩૪