Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
'સાર્વભોમ સર્વજ્ઞમહારાજના શાસનમન્દિરનું સ્વરૂપ. |
એકવીસ વખત શાસનને સ્વીકારીને મૂકનાર અને ચૌદશો રુમાલીશ ગ્રંથરત્નોના રચયિતા પ્રાતઃસ્મરણીય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ કરેલ લલિતવિસ્તરવૃત્તિથી અનેકાનેક શંકાસંદોહનું પ્રક્ષાલન કરી શાસન પ્રત્યે અવિહડ રાગ ધરાવનાર ગણિપુરંદર સકળસિદ્ધાંતપારગામી શાસન પ્રભાવક પરમ મહર્ષિ ભગવાન સિદ્ધર્ષિ મહારાજ અનેકવિધ ઉપમાઓથી ભરપૂર ભવપ્રપંચ નાટકનું દિગ્દર્શન “ઉપમિતિ ભવ પ્રપંચા કથા” નામના ગ્રંથ દ્વારા એ કરાવે છે અને તે ગ્રંથ જૈન જૈનેતર વર્ગમાં અત્યંત ઉપકારનું કામ કરી રહ્યો છે એમ કહેવું તે સ્થાને છે. તે ઉપમિતિ ૦ પ્રથમ પ્રસ્તાવમાં શાસનને રાજમંદિરની ઉપમા આપી છે અને તે રાજમંદિરમાં પ્રભુમાર્ગના પૂજારીઓને કયા કયા સ્થાને નિયુક્ત કરેલા છે તે સારું નીચેની ઘટનાઓ અવશ્યમેવ વિચારણીય છે.
भगवच्छासनमन्दिरे राजानः सूरयो विज्ञेयाः । ભગવંતના શાસનમંદિરમાં રાજા તરીકે આચાર્યો જાણવા. मन्त्रिणोऽत्रोपाध्याया द्रष्टव्याः । આ રાજમંદિરમાં ઉપાધ્યાયો અમાત્યો છે. महायोधाः खल्वत्र गीतार्थवृषभाः दश्याः । આ રાજમંદિરમાં સૂત્ર-અર્થને ધારણ કરવામાં ગીતાર્થવૃષભો મહાન લડવૈયાઓ છે.
गच्छकुलगणसङ्घानां द्रव्यक्षेत्रकालापत्तिमग्नानां परपराकरणद्वारेण निस्तारकारिण इति हेतोर्महायोघा प्रोच्यन्ते ।।
એક આચાર્યના સાધુઓનો સમુદાય તે ગચ્છ, ઘણા ગચ્છોનો સમુદાય તે કુલ, ઘણા ફુલોનો સમુદાય તે ગણ, ઘણા ગણોનો સમુદાય તે સદ, એવા ગચ્છ, કુલ, ગણ અને સંઘ જો દ્રવ્ય ક્ષેત્ર કે કાલ સંબંધી આપત્તિમાં ડુબેલો હોય તો તે આપત્તિને વિરોધીઓને દૂર કરી વિસ્તાર કરવાવાળા હોવાથી ગીતાર્થ સાધુઓજ મહાયોધા કહેવાય છે. ___नियुक्तकाः पुनस्त्र गणचिन्तका ग्राह्याः, तएव यतो बालवृद्धग्लानप्राघूर्णकाघनेकाकारा सहिष्णु परिपाल्यपुरुषसमाकुलाः कुलगणसङ्घरूपाः पुरकोटीकोटीर्गच्छरूपांश्चासङ्घयग्रामाकरान् गीतार्थतयोत्सर्गापवादयोः स्थानविनियोगनिपुणाः प्रासुकैषणीय भक्तपानमैषज्योपकरणोपाश्रय संपादन द्वारेण सक्लकालं निराकुला: पालयितुं क्षमाः ।
(અનુસંધાન ટાઇટલ પા. ૨ પર)