Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૨ શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૩-૨૪ ભરોસો છે તેટલો આત્માના વૈદ્ય પ્રત્યે નથી. મૂછિત મનુષ્યને વેદના કે દરદ માલમ પડે નહિં, તેથી તે દૂર કરનાર વૈદ્ય તરફ મૂછિત દરદીને લક્ષ કે ભરોસો હોતાં નથી, તેમ આપણે મોહ માયામાં મૂર્શિત થયેલા, વિષયોમાં ડૂબી ગયેલા એવાને આત્મા વૈદ્ય પ્રત્યે એજ દશા છે. શરણ રહિત જગત
જન્મ કે મરણમાં કોઈને વિવાદ નથી, કોઈ દિવસ જન્મની વેદનાનો વિચાર થયો કે? ભયંકર વેદનાઓ જાણ્યા વિચાર્યા પછી ફરીથી જન્મ ન કરવા પડે તેવો ઉદ્યમ કરવાની ઇચ્છા પણ થઈ ખરી કે? મરણનો ડર પણ સારા જગતને છે. નાના મોટા, સમજુ અણસમજુ દરેકને મરણનો ડર છે. છતાં ફરીથી મરવું ન પડે તે માટે કાંઈ
કાંઇજ નહિ. કારણકે “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા' તે અનુસાર મોહમાયારૂપી મદિરાના ઘેનમાં પડેલા આત્માને જન્મ મરણની વેદનાનું ભાન હોતું નથી, પણ સમ્યગુદષ્ટિ માટે જુદીજ લાઇન છે. તે મરણથી ન ડરતાં જન્મથી ડરે છે. તે સમજે છે કે જન્મ લેનારને મોત છે. તો જન્મથી ન ડર્યો અને મરણથી ડર્યો શા કામનો? આપણે મરણથી બચવાના નથી, બચાવનારો કોઇ જગતમાં નથી તેથી ડર રાખવો તે કઈ અકલનું કામ ? તીર્થકર, ગણધર કે કેવળીયો કોઇપણ મરણથી બચ્યા નથી. તેથી અશરણની ભાવનાની જગ્યા પર વાદીએ શંકા કરી હતી, કે મેળવેલું મેલીને જઈએ તે વખતે કોઇનું શરણ નથી. ચક્રવર્તીના છ ખંડ, કરોડો પાયદળ, લાખો હાથી, કરોડો ગામો, છતાં મરણ વખતે તે શરણ અર્પનાર નથી. જગતમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ, સમૃદ્ધિ રાજ્ય, જેને સોળ હજાર દેવતાઓ સેવામાં હાજર એવા ચક્રવર્તીને પણ મરણ વખતે કોઈ બચાવનાર હોતો નથી, તો પછી આપણને બચાવનાર કોઈ હોયજ નહિ તે નક્કી છે. માટે આખું જગત શરણ રહિત છે. ખરી આપત્તિ વખતે કોઈ શરણ ન થાય તો અશરણ કેમ ન કહેવું? માટે આ જગત અશરણ છે તો તેને માટે મરી ફીટવું નકામું છે. શરણ કોનું?
જન્મ મરણના જાપો, વ્યાધિ વેદનાઓ કરી વ્યાપ્ત એવા જગતમાં જીનેશ્વરદેવના વચન સિવાય કોઈ શરણ નથી. જગત અશરણ છતાં જીનેશ્વરના વચન શરણનું સ્થાન ગયું છે. જીનેશ્વરો પોતે તેમજ ગણધરો જે ગણપદ પામી અંતરમુહૂર્તમાં બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે, તેઓ પણ મરણથી બચ્યા નથી, તો તેમનાં વચનથી અમે બચશું તે માનવું શી રીતે ? જેમ તે માન્ય રાખીએ તો પુરાણની વાત માનવી પડે કે એક જણ બિલાડીને વેચવા આવ્યો, કિમત ઘણી માંગી, કારણકે તેની ગંધમાં બાર યોજન સુધી ઉંદર આવે. બિલાડીનો કાન ઉંદર કરડી જાય તો બાર યોજનની વાત શી રીતે માનવી? તો જીનેશ્વરો, ગણધરો પોતે મરણથી બચ્યા નહિં તો અમને મરણથી બચાવશે તે શી રીતે માનવું ? વાત ખરી, પણ ઇજીનમાં જે સળીયો હોય છે તે પાટા નીચે આવે તો ભુકા થઈ જાય, પણ તેનાજ દ્વારા આખી ગાડી ચાલે છે. પહેલી વસ્તુ ધ્યાનમાં લો તો માલમ પડશે કે મૂળ વસ્તુ આગળ ક્રિયામાં વધારો થયો તો જોસ આવ્યું, તેમ જીનેશ્વરનું વચન સીધું મરણ હઠાવતું નથી. ત્યારે શરણ કંઈ રીતે ? એકજ રીતે કે જન્મ બંધ કરાવવાધારાએ. જીનેશ્વરના વચન જન્મોના કારણભૂત કર્મોને તોડી જન્મોને બંધ કરે છે. એટલે મરણથી બચાવે છે, એથીજ “ધર્મ મરણને ધકકેલે છે' માટેજ જીનેશ્વર વચનનું શરણ છે. સમકિત એજ આત્માનું પરિપકવાણું
મરણનું કારણ જન્મ તો મર્યા પછી જન્મવાનું તરત અને જન્મેલાને મરવાનું નક્કી છે પણ મરણના ભયમાં ભડકી રહીએ છીએ, જ્યારે જન્મના માટે એક રૂંવાડે ભય ઉભો થયો? તો કોઈ પ્રશ્ન કરે કે મરણના દુઃખ પરોક્ષ છે માટે અનુભવ્યાજ માલમ પડે. જો બીજા માણસના મરણનું દુઃખ આપણે દેખતા નથી તો મરણથી ડરવાનું પ્રયોજન શું? જ્યારે જન્મને અંગે નવ માસ પેટમાં રહ્યા, બાદ તે પહેલાને દેખીએ છીએ, જન્મ વખતની દશા દેખીએ છીએ છતાં તેનો ભય નથી લાગતો. એટલા માટે જણાવ્યું કે સમ્યગુદૃષ્ટિ મરણને ઓચ્છવ માને અને જન્મને ભય માને. જેમ રાજ્યાભિષેક માટે ઘરમાંથી નીકળતો હોય તો તેને ઘરમાંથી નીકળવું તે ઉત્સાહનું કારણ હેય છે. ભલે બહાર જવામાં આપત્તિ હોય તો તે ઉત્સાહ તેને હઠાવે છે. તેમ સમ્યગુદષ્ટિ આત્માને તે કલ્યાણ થવાનો અભિષેક છે, તેથી વિદન હઠાવે અને મોહરાજાની ભેદી વજની સાંકળને તોડી નાખે છે. સમ્યગુદૃષ્ટિ