Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૨૩
અભવ્ય મિથ્યાર્દષ્ટિ ચારિત્રપાલન કરે તે માનતા રિદ્ધિ સમૃદ્ધિ મહાવ્રતની અપેક્ષાએ વિરૂદ્ધ ઇચ્છા છે એ વિરૂદ્ધ ઇચ્છાએ કરેલો પાપનો પરિહાર નવપ્રૈવેયક સુધીની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે.
અબ્રહ્મનો વખત આવે તો જીભ ચાવીને મરવું. તેમ મરી અનંતા મોક્ષે ગયા. બળાત્કારે થતા અબ્રહ્મમાં આટલો દોષ માન્યો હોય ત્યારે આવું વિધાન કરવું પડયું. અભવ્ય ચારિત્રપાલન કરે પણ ઇચ્છા બીજી જ છે. હજુ મોક્ષની કે કર્મક્ષયની ઇચ્છા તેમજ ચડતા ગુણસ્થાનની ઈચ્છા નથી. એકજ ઈચ્છા છે.
દવા પી જા તો લાડવો આપું. મન ઓસડમાં નથી. ઓસડમાં ક્રિયા છે તેમ અભવ્ય જાણે છે કે ક્રિયામાં ગરબડ થઈ તો દેવલોક નહિ મળે. વિરૂદ્ધ ઇચ્છાએ ક્રિયા થઇ તો નવપ્રૈવેયક મળે. અનિચ્છાએ અકામનિર્જરા એ દેવપણાનું કારણ. સસંયમસંયમાસંયમાળામનિર્ઝા વાતતપાંસિ વૈવસ્ય આ દેવતાના આયુષ્ય બાંધવાના કારણો. અહીં મારા કર્મક્ષય થાય એ બુદ્ધિ ન હોય, એટલુંજ નહિ પણ વિરૂદ્ધ ઇચ્છા. મને ખાવાનું મળે. શૂલપાણી યક્ષનું દૃષ્ટાંત. ત્યાં બળદ શું ધારી રહ્યો છે. આ ખાવાનું આપશે. પાણી ભરીને આવતી બાઇઓને દેખી આ પાણી આપશે એમ ધારી ભૂખતરસ સહન કરે છે. આ ચારો નાખશે, આ પાણી પાશે. આવી અનિચ્છાવાળી સહનશક્તિથી અકામનિર્જરા થાય ને દેવલોક મળે. અરે આપણે પ્રથમ તો નિગોદમાં હતાને ? ત્યાંથી ચડતા ચડતા આટલા ઊંચા આવ્યા તે કોના પ્રતાપે ? બાદરમાંથી ત્રસમાં, ત્રસમાંથી પંચેદ્રિયપણામાં, તેમાંથી મનુષ્યમાં તે પણ આર્યક્ષેત્રાદિ યુક્ત. આ બધી ઊંચી સ્થિતિએ આવવાનું મૂળ કારણ કયું ? નિગોદમાંથી અહીં સુધી અકામનિર્જરાથી આવ્યો છે.
નિગોદથી માંડી તિર્યંચના ભવ સુધી કયારે નિર્જરા સમજતા હતા ? તો અહીં પણ ઊંચે આવવાનું મુખ્ય કારણ અકામનિર્જરા માનવી પડશે. અકામનિર્જરા શુભ ન કરતી હોત તો કોઈ મનુષ્યમાં આવી શકત નહિ. કેવળ અકામનિર્જરાથી નિગોદાદિથી જીવો ઊંચા આવે છે, જો પરિણામ ખરાબ ગણીએ તો ઊંચો આવત નહિ. અકામનિર્જરાએ જે મેળવીએ તે કોડી એટલી જ સકામનિર્જરા કરીએ તો ક્રોડ, પણ વાત જમેની છે ઉધારની વાત નથી.
આથી વિરૂદ્ધ ઇચ્છા વગર ઇચ્છા બંનેથી કરેલો પાપનો પરિહાર તે પણ ફાયદો કરે છે. હવે અજ્ઞાનમાં આવીએ.
અજ્ઞાનતાથી પણ પાપ ન થાય તો દુર્ગતિથી બચાય છે. અજ્ઞાનતાથી પાપ ન થાય તો કર્મરાજાની તાકાત નથી કે તમને દુર્ગતિમાં મોકલે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય નરકમાં જાય ખરા ? કેમ નહિ ? ન જવાનું કારણ શું ? શું જ્ઞાન થયું છે ? મહારંભપરિગ્રહ છોડ્યા છે ? તેની શક્તિ નથી, જ્ઞાન નથી પણ પાપ ન કરે તેથી દુર્ગતિ ન