Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૮
તા.૧૫-૩૪
શ્રી સિદ્ધચક ૧૦૩પ જીનેશ્વર ભગવાન વિગેરેની સ્નાત્રાદિક દ્વારા કરાતી આરાધનાને કારણભૂત દ્રવ્યસ્તવ ત્યારેજ
કહેવાય કે તે આરાધના કરનારને સર્વવિરતિનું ધ્યેય હોય એટલે કે સર્વવિરતિના ધ્યેય
વિનાની તે આરાધના અપ્રધાન ભાવે દ્રવ્ય આરાધના છે પણ કારણ ભાવે દ્રવ્યસ્તવ નથી. ૧૦૩૯ દ્રવ્યસ્તવ કરતાં થતી સ્વરૂપ હિંસાનો બચાવ જગત માત્રના જીવોને અભયદાન દેવારૂપ
અનુબંધ દયાને અંગેજ થઈ શકે પણ તે અધ્યવસાય વિના માત્ર તીર્થકર બહુમાનાદિના
વિચાર માત્રથી તે સ્વરૂપ હિંસાનો બચાવ યુક્તિવાદીઓને પણ યોગ્ય લાગશે નહિ. ૧૦૩૭ સમદષ્ટિને અજ્ઞાનાદિ અઢાર દોષની ભયંકરતા ઘણીજ તીવ્ર લાગવી જોઇએ અને તેથીજ
તેને રોકનાર અને રોકાવનાર એવા અરિહંત ભગવાનોને તે દેવ તરીકે માનવા તૈયાર થાય. ૧૦૩૮ અજ્ઞાનાદિ અઢાર દોષોથી નિવર્તીને બીજા ભવ્ય જીવોને તે દોષોથી નિવર્તાવનાર જો કોઈ
પણ મહાપુરૂષ હોય તો તે તીર્થકર મહારાજાઓજ છે અને તેથી તેઓજ મુમુક્ષુઓને આરાધ્ધ,
પૂજય, અને ધ્યેય છે એવું સમ્યગુદ્રષ્ટિનું અંતઃકરણ પ્રવૃતિ રહેલું હોવું જોઇએ. ૧૦૩૯ શાસ્ત્રોનું યથાસ્થિત તત્ત્વનિરૂપણ જેમ મિથ્યાદર્શનના સંસ્કારવાસિત આત્માઓને શલ્યરૂપ
થાય છે, તેવી જ રીતે જૈનદર્શનમાં પણ નિcવ અને યથાશૃંદીઓને પણ જૈનદર્શનનું યથાસ્થિત
વાક્ય શલ્ય રૂપ થાય છે. ૧૦૪૦ શાસ્ત્રોને વાંચનારા અને જાણનારા દુનિયામાં ગણાતા વિદ્વાનો પણ ઐહિકફળની ઇચ્છાઓ
કે લોકસંજ્ઞા તરફ દોરાઈને પૌગલિક પદાર્થોમાં ઉપદેશેલો સમભાવ આગળ કરીને ગુણી અને અવગુણી, દેવ અને કુદેવ વિગેરેમાં પણ સરખાપણું રાખવા સૂચવે તો તે ઓછું ભયંકર
નથી. ૧૦૪૧ જીનેશ્વર મહારાજાઓએ ભયંકર સંસાર સમુદ્રથી તરવાનો કે તારવાનો કોઇપણ રસ્તો દેખ્યો
હોય તો તે સંયમાદિ દસ પ્રકારનો શ્રમણ ધર્મજ છે. સ્થૂલવિરતિ પણ તે શ્રમણાદિ ધર્મના
અંશ રૂપે હોઇ તેના સાધન રૂપજ છે. ૧૦૪૨ શ્રમણોપાસકપણામાં જો કે હિંસાદિથી વિરતિ ઘણા થોડાજ પ્રમાણમાં છે અને તેની અવિરતિ
ઘણાજ મોટા પ્રમાણમાં છે તો પણ તે શ્રમણોપાસકપણામાં હિંસાદિની રહેલી ઘણી અવિરતિને અધર્મ માનેલો હોવાથી શ્રદ્ધાનદ્વારાએ તે માન્યતારૂપ ધર્મને અવલંબીને દેશવિરતિરૂપ શ્રમણોપાસક આચારને શાસ્ત્રકારો કથંચિત્ ધર્મપક્ષમાં ગણે છે.