Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૩-૩૪ ટકવાથી જાણપણું તો સાગરોપમ સુધી હોય છે અને તેથી જાણવા માત્રથી જો આગમથી ભાવનિક્ષેપો માનવામાં આવે તો સાગરોપમ સુધી ભાવનિક્ષેપો માનવો પડે એટલું જ નહિ પણ મતિ આદિ જ્ઞાનોના જે જે વિષયો છે તે બધાને અંગે સાગરોપમ સુધી ભાવનિક્ષેપો માનવો પડે, માટે એકલા જાણકારને જો કે લબ્ધિરૂપે જ્ઞાનવાળો છે તો પણ ઉપયોગરૂપે જ્ઞાનવાળો ન હોવાથી આગમ થકી ભાવનિપામાં ગણતા નથી. આગમ થકી ભાવનિક્ષેપો તેને જ ગણવામાં આવે છે કે ક્ષાયોપથમિક લબ્ધિની અપેક્ષાએ જાણપણારૂપ આગમ હોય અને તે જાણેલી વસ્તુમાં ભાવરૂપ ઉપયોગ હોય. અર્થાતુ આગમની અપેક્ષાએ જાણપણું અને ભાવની અપેક્ષાએ ઉપયોગ સહિતપણું લઈને જાણકાર હોવા સાથે ઉપયોગવાળો હોય તેને જ આગમ થકી ભાવનિક્ષેપો કહેવાય છે.
કદાચ કહેવામાં આવે કે ઉપયોગવાળો હોય તે જરૂર જાણનાર હોય છે, તો પછી જાણવાવાળો અને ઉપયોગવાળો એમ બે કહેવાની જરૂર શી? એકલું ઉપયોગવાળો કહેવાથી જાણવાવાળો આવી જાય છે. જો કે નિયવિશેષની અપેક્ષાએ ઉપયોગ વિનાના મનુષ્યને જાણકાર જ માનવામાં આવતો નથી અને તેથી જ નિયવિશેષવાળા કહે છે કે જાણકાર અનુપયુક્ત હોય એ વાત બનેજ નહિ પણ દ્રવ્યાર્થિક નયોની અપેક્ષાએ તો જાણકાર છતાં પણ અનુપયોગી બને છે માટે બંને પદની જરૂર છે. જો કે સામાન્ય દૃષ્ટિએ ઉપયોગવાળા જેટલા હોય તેટલા બધા જાણકાર જ હોય એમ ગણી શકાય નહિ કેમકે જે જે મનુષ્ય જે જે વસ્તુનું જાણપણું કરવા માટે જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે તે મનુષ્ય તે વસ્તુ વિષયક ઉપયોગવાળો થાય છે પણ તે વસ્તુનું જાણપણું તો કેટલીક મુદતે થાય છે. એટલેકે સામાન્ય દ્રષ્ટિએ એમ કહી શકીએ કે જાણપણું છતાં ઉપયોગસહિતપણું ન પણ હોય અને ઉપયોગસહિતપણું છતાં જાણપણું ન પણ હોય અને તેથી આગમ થકી ભાવનિક્ષેપાના નિરૂપણમાં જાણપણા સાથે ઉપયોગસહિતપણું લેવાની જરૂર જ રહે. જ્યારે આગમ થકી ભાવનિક્ષેપામાં જાણકાર હોવા સાથે ઉપયોગસહિત એવા મનુષ્યને લેવા તો તેના કારણ તરીકે આગમ થકી દ્રવ્યનિક્ષેપામાં કયો પુરુષ લેવો તે હવે વિચારીએ.
ઉપર આપણે જોઈ ગયા કે આગમ થકી ભાવનિક્ષેપમાં ભાવશબ્દનો અર્થ ઉપયોગ કરેલો છે અને આગમ શબ્દનો અર્થ જ્ઞાન કરેલો છે. તો હવે જ્ઞાન અને ઉપયોગ બંને વસ્તુના કારણ તરીકે જે પદાર્થ હોય તેને આગમ થકી દ્રવ્ય કહી શકીએ, તેમાં પણ ભાવશબ્દથી ઉપયોગ લીધેલો હોવાથી ઉપયોગના કારણરૂપ જે વસ્તુ હોય તેને આગમથી દ્રવ્ય કહેવું વ્યાજબી ગણાય, અને તેથીજ અનુમોનો એમ કહી દ્રવ્યનિક્ષેપોમાં ઉપયોગનો અભાવ જણાવે છે, પણ ઉપયોગનો અભાવ એ દ્રવ્યશબ્દનો અર્થ નથી. દ્રવ્યશબ્દથી તો ઉપયોગનું કારણ લેવાની જરૂર છે અને ઉપયોગનું કારણ જ્ઞાન હોય એ સ્વાભાવિક છે પણ ઉપયોગ સિવાયનો અને જ્ઞાનવાળો મનુષ્ય જે આગમ થકી દ્રવ્ય તરીકે ગણાય તેને જાણવાનું અસંભવિત નહિ તો મુશ્કેલ તો થાય જ. માટે શાસ્ત્રકારોએ આગમ થકી દ્રવ્યના ભેદની વ્યાખ્યા કરતાં અનુપયોગી વકતાને આગમ થકી દ્રવ્યભેદ તરીકે જણાવ્યો છે, એટલે અનુપયોગપણું હોવાથી ભાવરહિતપણું સમજાવ્યાં છતાં જાણકારપણું જણાવવા માટે વકતાપણું લેવું