Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
3os
શ્રી સિદ્ધચક
તા. ૩૦-૩-૨૪
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ,
માધાનકાર: ક્ષકca@eત્ર ઘાટંગત આગમોધ્ધારક શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
પ્રશ્ન ૬પપ-ઠાણાંગજી વિ-૨ અંગ ઉપર કાઢયાવાય મહા૨ો ૪ ટીકા :ો હતો એ - ' ' ની ' 1 સત્ય છે ?
સમાધાન-આચાર્ય મહારાજ શ્રીમાનું અભયદેવસૂરિ સ્થાનાંગસૂત્રની વ્યાખ્યા કરતાં જણાવે છે કે विविधार्थरत्नसारस्य देवताधिष्ठितस्य विद्याक्रियाबलवतापिपूर्वपुरुषेण केनापि कुतोऽपि कारणात् अनुन्मुद्रितस्य એટલે અનેક પ્રકારના અર્થરૂપી રત્નો સારભૂત છે જેમાં અને દેવતાથી જે અધિષ્ઠિત છે એવા (સ્થાનાંગસૂત્રના) વિદ્યા અને ચારિત્રરૂપી બળવાળા પણ કોઇપણ પહેલાના પુરુષે કોઇપણ કારણથી નહિ બોલેલા (સ્થાનાંગસૂત્રનો અનુયોગ શરૂ કરાય છે). આ વચનથી સ્પષ્ટપણે એમ જણાય છે કે સ્થાનાંગસૂત્રની વ્યાખ્યા આચાર્ય મહારાજ અભયદેવસૂરિજી પહેલાં કોઇએ કરેલી નથી. આવી જ રીતે સમવાયાંગ વિગેરેની વૃત્તિમાં પણ ઉલ્લેખ હોવાથી પહેલા કોટયાચાર્યની વ્યાખ્યાઓ સ્થાનાંગાદિ અંગો ઉપર હતી એમ કહેવું તે માત્ર પ્રઘોષ જણાય છે. ભગવતીજીની વ્યાખ્યા અને ચૂર્ણ જો કે અભયદેવસૂરિજી મહારાજની પહેલાં હતાં પણ તે કોટયાચાર્યના હોય એવો ઉલ્લેખ નથી.
પ્રશ્ન ૬૫૬-શ્રાવક શ્રાવિકા વર્ગને ચારિત્રનું અંશ દેશ થકી હોય પણ સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનનો અધિકાર ઓછો ન હોવાથી અંગાદિસૂત્રો વાંચવાનો અધિકાર કેમ નહિ ?
સમાધાન- આચારાંગાદિ શાસ્ત્રો વડી દીક્ષા, ગીતાર્થપણું, સ્થવિરપણું, ગણીપદવી વિગેરેને અંગે લાયકાત આપવાવાળા હોવાથી તેનો અધિકાર સાધુઓનેજ હોય તે સ્વાભાવિક છે અને તેથીજ આચારાંગનું પહેલું અધ્યયન ભણ્યા પછી જ વડી દીક્ષાનો અધિકાર હતો (દશવૈકાલિકની રચના થયા પછી તેનું ચોથું છ જવનિકા અધ્યયનના યોગ અને અધ્યયન પછી વડી દીક્ષા દેવાય છે.) આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની પાંચમી ચૂલા જે નિશીથા અધ્યયન તેનો અભ્યાસ થયા પછીજ ગીતાર્થપણું ગણાય છે અને તેથી જ તે નિશીથાધ્યયનને ભણેલા સાધુનેજ ધર્મ દેશનાનો અધિકાર છે અને તેથીજ ધુમનપિન્નતો પપ્પના હેન્રી એટલે આચાર પ્રકલ્પને ભણેલા (ગીતાર્થ) સાધુએ જીનેશ્વર મહારાજાએ કહેલા ધર્મનો ઉપદેશ કરવો. તેવી રીતે ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રને ધારણ કરનારા સાધુઓ શ્રુતસ્થવિરો કહેવાય છે અને શ્રીભગવતીજી અંગના યોગ અને અધ્યયનથી ગણીપદવી