Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧-૩-૩૪
૨૧
શ્રી સિદ્ધચક્ર શું આ જ્ઞાનગર્ભિત?
તપાસ કરતાં કન્યા મળી નહીં, તેથી દીક્ષા લીધી, વેપારમાં પૈસા ગયા, મુશ્કેલીમાં આવી ગયો અને નોકરી ન મળી તેથી દીક્ષા લીધી તો તમારા હિસાબે તો તમો દુઃખથી કંટાળેલા બધાને દુઃખગર્ભિતની છાપ આપવા તૈયાર થયા છો, અને તેવા બોલનારા-લખનારાઓની અપેક્ષાએ તો સનકુમાર ચક્રવર્તી બાહુબળજી વિગેરેની દીક્ષાઓ દુઃખગર્ભિતમાં ગણવી પડશે.
સાઠ હજાર પુત્રો હુંકાઈ ગયા ત્યારે બાવા બનાવાનું મન સગર ચક્રવર્તીને થયું. જ્યાં સુધી શરીર સારું લાગ્યું, થુંકદ્વારા એ પ્રત્યક્ષ ક્રીડા નજરે નિહાળ્યા ત્યારે દીક્ષાનો વિચાર થયો. આજના કયા દીક્ષિતો એ ક્રિીડાનો અનુભવ શરીરદ્વારા એ કરી દીક્ષા લીધી. મીયાંજી પડ્યા તો પડ્યા પણ ટાંગ ઉંચી રાખવી, કારણ ચક્રવર્તી જીત્યો જીવાતો નથી, અને હાર કબુલ થતી નથી. કયો વૈરાગ્ય અહીં હતો તે તપાસો, તમો આવા માણસ માટે કઈ છાપ અને કયું સર્ટીફીકેટ આપો તે બોલો. આપણે હિસાબે જેટલા સિદ્ધો થયા તે બધા દુઃખગર્ભિત સંસારથી નિર્વેદ પામે, દુખથી કંટાળે એ ખગર્ભિત, નિર્વેદ વગર સમ્યકત્વ હોય નહીં અને તે વગર કોઈ મોક્ષે ગયેલ જ નથી - દુઃખગર્ભિતનું લક્ષણ શું તે જાણવાનો વિચાર કરતા નથી. માટે પ્રથમ તે સમજો; જેને મોક્ષની સમજણ નથી, મોક્ષ સાંભળ્યો નથી, ચારિત્ર આત્માનું વ્યાણ કરનાર છે એમ જાણ્યું નથી તેવાઓને દુઃખનો પ્રસંગ આવી પડે અને તે દુખમાંથી ચારિત્ર લે તો જ છૂટી શકાય, એટલે સીધી રીતે ચારિત્ર સાથે જરાકે નિસ્બત નથી પણ જીંદગી અગર પૌગિલક સાધન સામગ્રીના સીધા સંરક્ષણ માટે તાલાવેલી લાગી છે તે દુખગર્ભિત, દષ્ટાંત તરીકે વાઘર વીંટીને મેતારજ ઋષિના પ્રાણ હરણ કરનાર સોની સમજે છે કે ધર્મપરાયણ રાજા છે, ધાર્મિષ્ઠ કુટુંબ-રાજ-જીવન-ભોગ સામગ્રી આદિ સર્વસ્વ પૌગિલક સાધનો કરતાં ધર્મને અધિક પદ સમર્પણ કરનાર સમ્યકત્વ શિરોમણિ શ્રેણિક મહારાજા છે. આ વાત સોનીના ધ્યાનમાં છે, ક્રોધના આવેશમાં મેતારજને મારી નાંખ્યા; મરણ પામ્યા પછી ખ્યાલ આવ્યો કે મહાત્માનું ખૂન થવાથી શ્રેણિક મને અને આખા કુટુંબને અવળી ઘાણીએ પોલી નાંખશે જેથી બચવાનો રસ્તો શું તે હૃદયમાં વિચારે છે ! મેતારજ મુનિ છે એક રીતે શ્રેણિકના જીવન કરતાં અધિક પદસ્થ ગુરુ છે અને સંસારની અપેક્ષાએ પોતાનો જમાઈ છે, જેથી મરણની વાત સાંભળવા જેટલી પણ સમતા રાખી શકશે નહીં, માટે એક જ રસ્તો યાદ આવે છે કે ધર્મને અંગે શ્રેણિક બધું સહન કરે છે, કર્યું છે અને કરશે. જે શ્રેણિક મહારાજાની સહનશીલતા માટે શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં ઠેર ઠેર યશોગાન કર્યા છે તે સાંભળશો એટલે બહુમાન થયા વગર રહેશે જ નહિં. ગુન્હેગાર નથી
દીક્ષાના લીધે જ રાજા શ્રેણિકનું રાજ્ય ગયું, દીક્ષાના લીધે કેદમાં સડવું પડ્યું, રોજના સો સો કોયડા ખાવા પડ્યા, હીરો ચુસી મરવું પડ્યું, તો પણ દીક્ષા પ્રત્યે છાંટો પણ અરુચિ ન થઈ !!! કદાચ શંકા થશે કે આ શું? દીક્ષાના લીધે આ બધું શું થઈ ગયું !!!