Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨3o
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર ગળે વળગાડીને નાક કાપ્યું (એટલે માગતો હતો. મૃગાવતી અને સાથે મળી ઉપાધિ.) શાસ્ત્રકારો કહે છે કે સમ્યત્ત્વનું એક બિન્દુ માત્ર ભયંકર દાવાનળને હોલ” તેવી રીતે પોતાને બનાવી જનાર મૃગાવતીજીના છળને વિષયાંદ છતાં સમ્મદષ્ટિ રાજા ચંદ્રપ્રદ્યોતન બરાબર સમજ્યો! ઉત્પન્ન થયેલા વિકારની આધીનતામાં અંધ બની ચૌદ મુકુટબંધ રાજા અને સમગ્ર સેનાની ચાકરી તથા ધન, ધાન્ય અને દીલ વિગેરે સર્વ કાંઈ અર્પણ કર્યું, પોતે જબરદસ્ત રાજા છતાં પોતાની સાળી મૃગાવતીજી જેવી સ્ત્રીના સપાટામાં સપડાઈ સંપૂર્ણ બન્યો એવી લોકહેલના સહન કરવી, તેના હાથે થયેલો કોશમ્બીનો કાળોકેર જગતભરમાં ગવાય, એટલુંજ નહિં પણ પોતાને પાળવા આપેલો છોકરો (ઉદયન) ભવિષ્યમાં પોતાનો કટર શત્રુ થવાનો છે તેમ ખબર છતાં તેને પોષવા તૈયાર થવાનો અવસર ઉભો થયો, અને અને જેના ઉપર પૂરણ આસકિત છે એવી રાણી મૃગાવતીજીની દીક્ષામાં પણ ભાગ લીધા વિના છૂટકોજ નથી. આ દરેક સંકલનાઓ હૃદયમાં ઝાળ ઉત્પન કરી તેને મુંઝવવા લાગી.
સમ્યગદર્શનની તો ખરેખર બલિહારીજ છે” રાજા ચંડપ્રદ્યોતન કામાંધ છતાં સમ્યકષ્ટિ હતો એ આપણે જણાવી ગયા છીએ. અનેક પાપ અને કલંકાનો ભોકતા બનવાથી ભયંકર રોષમાં તરબોળ બનેલા તે ચંડપ્રદ્યોતના હૃદયમાં “હાય તેવા સ્નેહીની પણ દીક્ષામાં તો ના કહેવાયજ નહિ” એ વિચાર કોણે હુર્યો? કહેવુંજ પડશે કે દર્શનપુરઃસરના સમ્યગુજ્ઞાને !!! અને એ સમ્યગદર્શનના પ્રભાવે તે રાજાની ભયંકર હૃદયજવાળા પણ બુઝાઈ ગઈ.
ધર્મને તસ્વરૂપે સમજ્યા વિનાના જીવો, ધાર્મિક કાર્યોમાં જંગમ દાવાનળરૂપી દુનિયાના ફાસા, મોહપાસ અને એવીજ કોઈ અનેરી દરીયા જેવી આફતો લાવા આસ્તિકાનો ખરેખર નાશ કરે છે.
અહિંયાં પ્રભુ મહાવીર પરમાત્માએ (ચંડપ્રદ્યોતને સતતું છળ વડે ઠગનારી) મૃગાવતીજીને પણ દીક્ષા તો આપીજ. એ તો જાણો છોને? હવે કહો કે પરમાત્મા પણ તમારી દ્રષ્ટિએ માની લીધેલી અયોગ્ય દીક્ષાના પોષકજ હતા, અગર તો એમ કહો કે પરમાત્માએ પણ ભૂલ કરી! “આવે પ્રસંગે “કૌન બન્નતિ” અને એજ પ્રમાણે પાખંડને સહેજે પારખી શકાય એટલા માટેજ હરિભદ્ર સૂરિ મહારાજાએ પણ ફરમાવ્યું છે કે “વિનોમિતિ સમwત્યા” એટલે આ શ્રી જીનેશ્વર મહારાજે કહ્યું છે તેજ પ્રમાણે છે. એમ ધારવું તેનું નામ સદ્ભક્તિ અને તે વડે “પ્ર” ધારણ કર્યા છતાં દ્રવ્યોથઃ વાદ્ધમાનં દ્રવ્યથી પડવાનું થતાં પણ પદ્ધીવ પ્રત્યારોની વરણમ્ તે લીધેલું પ્રત્યાખ્યાન ભવિષ્યમાં ભાવનું કારણ છે. અટકાવવા લાયક છું!
સાધુ પતિત થઈ જશે એવા ભયથી દીક્ષા અટકાવવા મથતા મૂર્ણાનંદિઓને અનાચારના દરેક આરંભો અવિચ્છન્ન રાખવા છે, અરે એટલુંજ નહિં પણ તેને દિનપ્રતિદિન વિશેષ પ્રકારે પોષી વૃદ્ધિગત બનાવવાના હેતુ માત્રથીજ સદાચારોને તો નષ્ટ પ્રાય:જ કરવા છે. આવી દુર્ભાવનાવાળા પગલાનંદિઓએ હજુ પણ સમજવું ઘટે છે કે જેટલા પરણે છે તેટલા બધાએ અખંડ સૌભાગ્યવાળા હોતા નથી ! રંડાવાના ભયથી પરણવાનુંજ બંધ કરવા કરાવવા કેમ કમર કસતા નથી; કારણ કે કોઈ નહીંજ પરણે તો રંડાવાનું પણ રહેશેજ નહિં “ત્યાં તો કહેશે કે કુંવારી કન્યાને દુનિયા અખંડ સૌભાગ્યવંતી માનેજ નહિં; એટલે લાચાર! જેમ ચૂડો ભાંગવાના સંભવને લીધે ચૂડો પહેરાવવાનું બંધ રખાતું નથી; મરણ પ્રમાણ દેખીને સુવાવડ પ્રાપ્તિના કાર્યો અટકાવવામાં આવતા નથી; કરવા મથો તો? દુનિયા દિવાનાઓની હોસ્પીટલમાં દાખલ કરે કે નહિ ? તેમ અહિંયાં પણ કોઇ સાધુના પડવાના ભયે સંયમ અટકાવવાની મૂર્ખાઇની અવધિને સુજ્ઞજનો જગતમાં તેજ હાલતમાં ઓળખે તેમાં અચકાવા જેવું પણ શું છે? વિધવા અને મરણના