Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૨
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર અપેક્ષાએ મારવામાં લાભ કે નથી તો દુઃખીપણાની અવસ્થાએ મારી નાખવામાં લાભ થતો. પ્રાણીઓની ત્રિવિધ હિંસા એટલે કે પ્રાણીના ભવનો નાશ, પ્રાણીને દુઃખ દેવું કે તેના ભવના નાશ કે દુઃખના પરિહારના વિચારો ન રાખવાથી થયેલો પાપબંધ કોઇપણ પ્રકારે તેના ભવના નાશના પ્રયત્ન, દુઃખ ઉત્પત્તિના પ્રયત્ન, કે મારવાના વિચારોથી નાશ પામે નહિ તેમજ ઓછું પણ થાય નહિ, પણ તેવી રીતની ત્રિવિધ હિંસાથી થયેલું પાપ પ્રાણીઓને બચાવવાના વિચારો, ઉચ્ચારો, અને આચારોથીજ ઓછું થઈ શકે કે નાશ પામી શકે, કે રોકી શકાય જો કે તેવી રીતના રક્ષણના પ્રયત્નોથી માત્ર પ્રાણીઓના દ્રવ્યપ્રાણનો બચાવ જ કથંચિત થઈ શકે છે, એટલે કે તેને થતા કે થવાના દુઃખોમાં તે રક્ષક મનુષ્ય માત્ર કારણ બને નહિ, પણ તે દુઃખી થતા મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે પોતાની મેળે તો દુઃખો વર્તમાનકાળે કે કાળાંતરે ભોગવાનાંજ રહે છે. તે દુઃખનાં કારણભૂત કર્મોનો ભોગવટો અને તેનાથી થતા દુઃખોનું વદન તો ત્યારેજ બંધ થાય કે જ્યારે તે કર્મોના નાશનાં કારણો તેને પોતાને સ્વતઃ મળે કે કોઈ ધર્માત્મા મનુષ્ય મેળવી આપે. આનું નામ જ ભાવદયા કહેવાય છે. આવી ભાવદયાથી એકલા દુઃખોનો નાશ અને તેના કારણભૂત કનોજ નાશ ચિંતવાય છે તેમ નહિ પણ જે કર્મોએ તે આત્માના સમ્યગુદર્શન આદિ ગુણોને રોકી દીધા છે તે કર્મોનો નાશ કરવામાં તેને તૈયાર કરવો અને તે નાશ ન કરે ત્યાં સુધી તેની દરેક ઉન્નતિની અવસ્થામાં સહાયકારક અને અનુમોદક થવું એ ખરેખર ભાવદયાનું સ્વરૂપ છે. યાદ રાખવાની જરૂર છે કે દરેક સંસારી પ્રાણી અનાદિકાળથી કર્મથી વિંટાયેલો હોઈ મિથ્યાત્વજ્ઞાન અને અવિરતિના પંજામાં સપડાયેલો રહે છે, અને તે પંજામાંથી છૂટવું તે ઘણુંજ દુઃસંભવિત છે, પણ આત્માની વિચિત્ર શક્તિ હોવાથી તે સમ્યગુદર્શન આદિમાંથી કોઈપણ એક કે અલ્પગુણની પ્રાપ્તિ કરે તો તે પ્રાણી અનુક્રમે તે ગુણોને જરૂર તે કાળે કે ભવિષ્યમાં વધારનારો થાય છે, એટલું જ નહિ પણ જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપો
જ્યાં સર્વથા નથી, તેમજ જ્યાં ગયા પછી તે તાપો કોઈપણ દિવસ કોઈપણ જીવને થવાના નથી, તેમજ કોઈપણ કાળે કોઇપણ પ્રકારે પ્રગટ થયેલા સંપૂર્ણ જ્ઞાનાદિકમાંથી એક અંશ પણ ઓછું થવાનું નથી અને સર્વગુણો સંપૂર્ણપણે સર્વદા નિશ્ચિતપણે રહેવાનું નિમિત્ત થયેલું છે તેવા મોક્ષપદને તે અલ્પગુણવાળો કે એક અંશવાળો મનુષ્ય સાધી શકે છે. ભાવદયામાં અધિકપણું
આવી ભાવદયા તરફ લક્ષ રાખવાવાળો મનુષ્ય આ ભાવદયાના ફળો ગુણો અને સ્વરૂપનો હિસાબ કરે તો અનુભવાતા દ્રવ્યદયાના ગુણો આદિ કરતાં અનંતગણું અધિકપણું ભાવદયામાં માને તેમાં આશ્ચર્ય નથી. આ ઉપરથી એ પણ સમજી શકાશે કે દ્રવ્યદયા કરનારો મનુષ્ય માત્ર કેટલાક પ્રાણીઓના કેટલાક દુઃખોનો વિલંબમાત્ર કરી શકે તે રૂ૫ દ્રવ્યદયા કરતાં સમ્યગુદર્શન આદિ પામીને મોક્ષે ગયેલો જીવ સર્વજીવો માટે સર્વકાલના દુઃખો દૂર કરનારો કે તે દુઃખોને નહિ કરનારો થાય છે, અને તેથીજ આખી જિંદગીમાં કરાતી દ્રવ્યદયા કરતાં પણ એક ક્ષણની ભાવદયાની ધારણા અનંતગુણ ફળવાળી માનવી પડે તેમ છે. આજ કારણથી એક પણ જીવને સમ્યકત્વ આદિ પ્રાપ્ત કરાવનાર મહાપુરૂષને ચૌદ રાજલોકમાં અભયદાન દેવડાવનારો અને પ્રાપ્ત કરનારને ચૌદ રાજલોકમાં અભયદાન દેનારો ગણવામાં આવે છે.