Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
સુશીલ યુક્ત બાળાને યેનકેન પ્રકારે મુંઝવણમાં નાખી તેના સંબંધીઓ તેની અનિચ્છાએ પણ બળજબરીથી પરણાવવા મથે, લગ્નની તૈયારી કરી તેનું ધર્મધનરૂપી બ્રહ્મચર્ય લુંટી લેવા બિહામણા પ્રસંગો અનુભવાવે, ઘેર સામાયિક કરે તો માતા મુહપત્તિ ખેંચી લે, આયંબિલાદિવ્રત તપશ્ચર્યા કરે તો પચ્ચખાણ ભંગાવવાની હદે પહોંચે, ચોવિહાર કરે તો રાત્રિને વિષે પણ મ્હોંમાં પાણી નાખે અને વધારામાં તેને રસ્તા વચ્ચે મારી કુટીને પણ તેઓએ પુણ્યવાનના સજ્જડ ફાંસલારૂપ બની તેને મૃગશિકારીવત્ દશાનું ભાન કરાવે; એ વિકરાળ સ્થિતિ ! શું મોહમાં અંધ બની એકાંતે અધર્મે વળેલા અને પોતાની સંતતિના આત્મ કલ્યાણને ગુંગળાવી મારનારા મૂર્ખ માતાપિતાઓ દીક્ષા જેવા ઉત્તમ પ્રસંગ વખતે પોતાની રજાનીજ અભિલાષા રાખે છે એમ સમજો છો ? નહિં, નહિં કદિજ નહિં !!! એ પામરાત્માઓ તો પોતાના તુચ્છ સ્વાર્થની ખાતરજ અન્યનો આત્મમાર્ગ રૂંધે છે; અને એટલાજ માટે મોહના નિશામાં ચકચૂર રહેલા માતપિતાઓને માપિતા મનાવવાનો લેશમાત્ર હક રહેતો નથી તે નથીજ. આત્મકલ્યાણની તીવ્ર અભિલાષાવાળા આત્માઓ તેવા માવિત્રોની લેશપણ દરકાર રાખ્યા વિના પોતાના આત્મ કલ્યાણનો માર્ગ સત્વર અંગીકાર કરેજ !!! અને એજ મુજબ દીક્ષાર્થી બાઇ કમુ પણ એ જુલ્મોથી છૂટવાને દરેક ઉપાય કરી છુટી !!! વિશાશ્રીમાળીની નાતના આગેવાન પર મોકલવા એક અરજી ઘડી તેમાં પોતાના દુઃખની કહાણી વર્ણવી પોતાનું રક્ષણ માગ્યું નાત ભેગી થઇ, તેના સંબંધીઓને બોલાવી ઘટતો દરેક બંદોબસ્ત કર્યો બીજી બાજુ કમીશનરની ઉપર સુલેહ ભંગની અરજી મોકલી, ત્યાંથી પણ પુરતો બંદોબસ્ત મળ્યો, પરિણામે તેની દીક્ષા તેનાજ ઘરની પાસે ધામધુમ પૂર્વક થઇ. અતએવ આપણે એ વિચારવાનું છે કે આવા અર્થકામીઓના સકંજામાં સપડાયેલા દરેક આત્માર્થીઓનું આવું વીર્યબળ નજ હોય ! જેથી તે આત્માની દશા શી ? ભયંકરતાનું પરિણામ શું ?
આય તેવા વિષમ પ્રસંગે પણ ધર્મીઓમાં તો શાન્તિજ અનુભવાણી છે અને અનુભવાય છે, એ બિના હેરત પમાડે તેવી છે ! નહિં તો એ જાલીમ જીલ્મગારોના જુલ્મો તો ધર્મીઓના હૃદયને હચમચાવી અનેરો ઉલ્કાપાત મચાવે.
પ્રભુ માર્ગના રસીયા ધર્મના ધોરી ધુરંધરો, એકાન્તે આત્મકલ્યાણના એ ધાર્મિક ઉત્સવોને તો (ગમે તેવા વિરોધની વચ્ચે પણ) અપૂર્વભૂત આદરવામાં અને ઉજવવામાં જરા પણ કમીના નજ રાખે ! મોહની વિકળતાના પ્રસંગે !
અર્થહીણા મોહાધિનો, મોહને લીધે મ્હોંકાણ માંડીને મ્હોં વાળવા ભેળા થાય તે ટાઇમે આત્માર્થીજનો અકળાય ખરા ? દિજ નહિં ! એ તો એવી એની અગાધ અજ્ઞાનતા ઉપર આમંદિત એરે અપૂર્વ હસે. એવા મિથ્યાપ્રલાપોને આત્મહિતનાશકજ માને અને એના સંયોગે તો આત્મધ્યાનમાંજ સ્થિર થઇ એવાઓના કૃત્રિમ રૂદનો અને વડે ઉદય પામવાના ભાવિ ઉપસર્ગોથી જલ્દી નાશી છુટે !!! ચાલો મૂળ વાત ઉપર
રાજા શતાકનિને ત્યાં રહેવાવાળી મૃગાવતીજીની માંગણી કરવામાં કશી રીતે વ્યાજબીપણું નહોતું, છતાં તેને મેળવી આપવાને, (એક વખતે સલાહ આપી શકે એવા નીતિવાન) ચૌદ મુકુટબંધ રાજાઓ, તે ચંડપ્રદ્યોતનની મદદે ચડયા, પોતાના સકળ સૈન્ય સાથે મળી કૌશામ્બીને ઘેરો ઘાલ્યો; વિચારો કે કેટલો કપરો પ્રસંગ ??? આ વખતે એક નીતિકારના શબ્દો વિચારવા જેવા છે. તેણે કહ્યું છે કે, “અન્યાયની દુરીથી, ગરદન ન્યાયની છેદાય છે છળબળના કત્લખાનામાં, નિર્દોષ માર્યા જાય છે.” ખરેખર તેમજ બન્યું !