Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૦૪
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉત્તમ ચીજ મોક્ષજ સ્વર્ગની કિંમત એની પાસે કોડીની છે.
શંકા કરનારને શંકા લેવા જવી પડતી નથી અહીં હજી કદાચ કોઈ શંકા કરે કે દેવલોકમાં દેવલોકના સુખ જેવાં કે આરંભ પરિગ્રહ વિષય કષાયાદિ છે એ જો ધર્મથી મળતા જણાવો છો તો ધર્મ આવાજ ધંધા કરે છે ને ! અહીં ઝૂંપડાં, ત્યારે ત્યાં જંબુદ્વીપ જેવડાં મોટાં વિમાનો, અહીં પહેરવાને વસ્ત્રો પણ પૂરાં નહીં, જ્યારે ત્યાં આખું શરીર હીરાથી ઢંકાઈ જાય, આવા ભોગો વધારનાર દેવલોકને ધર્મના ફળ તરીકે શી રીતે કહેવાય ? સમાધાન- અહીં દેવલોકના આરંભ પરિગ્રહના વખાણ નથી, પણ અનુકુળતાએ વેદાય એટલા પુરતા માત્ર એના વખાણ છે. બાકી પોતે એને કેવું ગણે ? "સુરનર સુખને દુઃખ કરી લેખવે આ માનવાનું પોતાને બીજો મનુષ્ય બીજાના સુખોને દુઃખો માનેજ નહીં, પણ પોતેજ પરિણામની ભયંકરતા માની પોતાના સુખને દુઃખ માને. પ્રમોદભાવનાનો પહેલો વિષય એ છે કે અનુકુળતા એ વેદે તેમાં પ્રમોદ?
મુનિના ઉપસર્ગમાં મુનિ સંતોષ શી રીતે માને? યાદ રાખો ! મુનિ પોતે માને એ વાત છે, તમે માનો એમ નહીં રસ્તામાં વિહરતા કાંકરા આવે ત્યારે-ઠીક નિર્જરાનું કારણ મળી ગયું” એમ સાધુ માને પણ તમારાથી મનાય? નહીં! ભગવાનને સંગમ ઉપસર્ગ કરે છે, ત્યારે ઈદ્ર દેવલોકને દુઃખરૂપ પોતે દેખે છે, પણ એ દેવલોક બીજાને દુઃખરૂપ નથી. લેવાદેવાના કાટલાં જુદા ન હોય પણ બાજુ જુદી ! તેવી રીતે પોતાની નિર્જરા જુદી, સમ્યકત્વવાળો દેવલોકનાં તથા મનુષ્યનાં સુખોને પોતે દુઃખરૂપ માને, પણ ધર્મ સ્વર્ગ દેનાર છે એમ કહેવું ત્યાં દેવલોકના વિષય કષાયની અનુમોદના નથી, પણ સ્વર્ગની અનુકુળતા અનુમોદાય છે. જેને સંનિપાત થયો હોય તે સાકર ખાય ત્યારે પ્રમોદ ભાવનાવાળાએ શું વિચારવું ? સાકર ખાધી એ પ્રમોદનો વિષય પણ એના કરતાં સાકરીયા મીઠી દવા ખાઈને આનંદ માન્યો હોત તો ઠીક હતું. જ્યાં કારણ સારા હોય ત્યાં આનંદ માને. એના ચાર પગથીયાં છે. દેવલોક એ પણ પ્રમોદ ભાવનાના વિચાર માટે છે, અર્થાત્ ધર્મ સ્વર્ગ દેનાર છે એમાં વાંધો નથી પણ એકલીજ સાકરીયા દવા ખાઈએ તો પુષ્ટી ન મળે અભવ્યને ધર્મથી દેવલોક મળ્યો, તે સહેતુ છે છતાં એ મોક્ષ મેળવી ન શકયો માટે કહો કે એ તત્ત્વમાં આવ્યો નથી. ભવિષ્યમાં દુઃખ થાય નહીં આવું સુખ લે તે કેવળ મોક્ષમાંજ છે. આથી મોક્ષ એ ઉંચી ચીજ છે, તેની આગળ સ્વર્ગ એ કોડી જેવી ચીજ છે. શાસ્ત્રકાર સંસારને અરણ્ય, જંગલ, દાવાનળ વિગેરે કહે છે ત્યારે આજકાલ અજ્ઞાત જનસમૂહ દીક્ષાને દાવાનળ કહે છે, દરીયામાં ડુબાડનાર ગણે છે. શાહુકાર ચોરી ઓછી થાય તેમાં રાજી થાય, ચોરની ટોળી બે ખાતર પડે તેમાં વધારે રાજી હોય તેવી રીતે ધર્મીષ્ઠોને દીક્ષા, દેવું વિગેરે ધર્મ તારનાર લાગે છે, જ્યારે બીજાને દાવાનલ લાગે છે, તે ઉપરથી સાવચેત થવાનું છે. જેટલું ખરાબ ગણો તેનાથી ખૂબ સાવચેતી રાખો. ખરાબ સંસ્કાર, ખરાબ વચનને જેટલા અધમ ગણો તેટલી ઉત્તમતા. સંસારકાંતાર ઉલ્લંઘવો મુશ્કેલ છે, તેમાં માર્ગ દેખાડનાર ધર્મ છે. ધર્મને શરણે ચાલનારો માર્ગે ચઢી ઈષ્ટ સ્થાને પહોંચી શકશે. એ પહોંચવામાં કેટલી મુશ્કેલીઓ છે તે હવે પછી.