Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૦-૧-૩૪
૨૦૯
શ્રી સિદ્ધયક પ્રશ્ન ૬૩૧- આચાર પ્રકલ્પ નામ શાસ્ત્રમાં લખ્યું છે તો તે આચારાંગ સમજવું કે બીજું? સમાધાન- આચાર પ્રકલ્પનું નામ શ્રી નિશિથસૂત્ર કહેવાય છે, અને પાક્ષિમાં તે બિના પૂર્વે આવી ગઈ છે.
પ્રશ્ન ૬૩૨- સંજમનું સ્વરૂપ ન સમજે, તેમજ શ્રાવકને ફુલાચારથી નવમુકકારશી સિવાય બીજું જ્ઞાન ન હોય તેવા જીવને સંજમ આપી શકાય કે નહિ ?
સમાધાન- અપાય, કારણકે કુલાચારવાસિત શ્રાવકનો છોકરો સાધુઓના રિવાજ સમજેજ છે.
પ્રશ્ન ૬૩૩- બકુશ કુશીલ ચારિત્રવાલો પરિગ્રહ ઘણો રાખે, અને બીજા વ્રતો પાલે તો દેવ આયુષ્ય બાંધે કે બીજું?
સમાધાન- ધનધાન્યાદિ કીંમતિ ચીજો રાખવારૂપ પરિગ્રહની છુટ બકુસ કુશીલ સંયમમાં નથી. ફક્ત સાફસુફ, અધિક ઉપકરણ અને મમત્વ ભાવાદિ બકુસ કુશીલમાં સંભવે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે પરિગ્રહ રાખવાથી પાંચમું મહાવ્રત જાય. છતાં ભાવનાની વિચિત્રતા હોવાથી દેવ આયુષ્ય નજ બાંધે, અગર બાંધે એમ એકાંત કહી શકાય નહિ, પણ અસુરાદિકની ગતિ જે આસુરી આદિક ભાવનાવાળાઓને માની છે, તે પણ ચારિત્ર સહિતને અંગે કહી છે તે વિચારવું જરૂરી છે.
પ્રબ ૬૩૪- નવ અંગે પૂજા કરતી વખતે પ્રથમ જમણા પગને અંગુઠે પૂજા કરવાનું કારણ શું?
સમાધાન- કારણ એ છે કે તેઓશ્રીના યોગ્ય એવાજ જધન્ય અંગની પણ પૂજ્યતા છે, ને તેજ અનુક્રમ છે માટે જીનેશ્વરદેવના જમણા પગના અંગુઠેથી પ્રથમ પૂજા કરવાની રીતી છે.
પ્રશ્ન ૩પ- શ્રીમહાવીર પ્રભુના જન્મકલ્યાણક વખતે આટલો બધો અભિષેક પ્રભુનું નાનું શરીર કેમ સહન કરી શકે, તેવો મન સંબંધી ઈદ્રનો વિચાર ભગવાને કેવી રીતે જાણ્યો, કારણકે તે વખતે તેમને ત્રણ જ્ઞાન છે મન:પર્યવજ્ઞાન તો નથી ?
સમાધાન- રૈવેયકાદિ દેવતાઓ અવધિજ્ઞાનથી પણ મનને જાણે છે, પણ અવધિથી મન:પર્યવજ્ઞાન જેવું વિશિષ્ટપણે ન જાણે.
પ્રશ્ન ૬૩૬- ઋજુમતિ મન:પર્યવજ્ઞાનમાં વિશેષ જ્ઞાનનો વિષય કહ્યો તો તેમાં દર્શન કેમ નહિ જેટલો જ્ઞાનાવરણીનો ક્ષય થયો તેટલો દર્શનાવરણીયનો ક્ષય ખરો કે નહિ?
સમાધાન-ના, સાક્ષાત્ વિચારોજ જાણવાના હોવાથી દર્શન નથી. પ્રશ્ન ૬૩ જીનેશ્વર ભગવાનના અનુષ્ઠાન વખતે કેવા કેવા અધ્યવસાય વર્તતા હોય તો તે આત્મા તે દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુંબંધપાપ અને પાપાનુંબંધી પાપનો બંધ કરે ?
સમાધાન- સર્વજ્ઞકથિત હરકોઈ આરાધના કરતી વખતે આરાધક આસંશાવગર આરાધના કરે તો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જીત કરે, નિદાનયુક્ત આરાધના કરે તો પાપાનુંબંધીપુણ્ય બંધાય, અતિચારસહિત આરાધના કરે તો પુણ્યાનુબંધીપાપ અને અવજ્ઞા અને અનાદરપણે આરાધના કરે તો પાપાનું બંધી પાપનો બંધ થાય.
પ્રશ્ન ૬૩૮- જે છખંડને સાધતા ભરત મહારાજાને છ હજાર (૬૦૦૦) વર્ષ લાગ્યા, ને તેજ છ ખંડને સાધતા બ્રહ્મદત્ત ચક્રવર્તિને છ (૬) મહિના લાગ્યા ત્યારે શું તે ખંડ નાના મોટા હશે ?
સમાધાન- દરેક ચક્રવર્તીના વખતમાં છ ખંડ સરખા પણ દેવતાની મદદે જલ્દી સાધ્યા, તેથી ઓછો વખત લાગે તે બનવા જોગ છે.
પ્રશ્ન ૪૩૯- કર્મબંધના ચાર કારણ છે,મિથ્યાત્વ અવિરતિ, કષાય અને યોગ એ ચાર કારણ હોવા છતાં આપ (કર્મબંધનના કારણ તરીકે) એક કહો છો તેનું કારણ શું?