Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૫-૧-૩૪
૧૮૩
શ્રી સિદ્ધચક્ર સંવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર.
(ગતાંકથી ચાલુ) અનુવાદક “મહોદયસા.” श्रुत्वेत्यहं सपौरोऽपि तस्मादेवाभवं व्रती । अयं विज्ञेषहेतुर्मे निर्वेदे नृपनन्दन ? દુર્જનની દુર્જનતાનો સાક્ષાત્કાર
ગતાંકમાં આપણે જોઈ ગયા કે સોમાનો જીવ જે હાથી તરીકે હતો તે મરી અકામનિર્જરા યોગે વ્યંતર થયેલ છે તે સોમા વ્યંતરપણામાંથી ચ્યવીને કોઈ બીજા વિજયમાં ચક્રવાલ-નામા નગરની અંદર અપ્રતિહતસક સાર્થવાહના ચક્રદત્ત નામના પુત્ર તરીકે ઉત્પન્ન થઈ. રૂદેવ પણ નારકમાંથી ચ્યવી તેજ નગરમાં રાજાના પુરોહિતનો યશદત્ત નામે પુત્ર થયો.
ભાગ્યયોગે યશદત્ત ને ચક્રદત્તની સાથે મિત્રતા થઇ પરંતુ યશદત વારંવાર ચોદત્તના છિદ્ર જોતો તે તેના ઉપર દ્વેષ રાખતો.
એક દિવસ યાદત ચન્દન નામના સાર્થવાહની માલમિલ્કત બધી ઉપાડી ચક્રદત્તના ઘરમાં મુકી કહ્યું કે-મિત્ર તું આ ધન તારા પ્રાણસમાન ગણીને યત્નથી સાચવજે ચકદેવે પણ ભદ્રિકભાવથી પોતાના ઘરમાં તે ધન મુકયું.
સવારે લોકાપવાદ થવા લાગ્યો ત્યારે ચહદને પૂછ્યું કે તું આ ધન ક્યાંથી લાવ્યો ? ત્યારે યાદને સાચે સાચું કહ્યું કે-મેં, ભયથી અહીં સાચવવા તને આપ્યું છે તે કોઈપણ જાતનો ભય રાખીશ નહીં, એમ જ્યારે યશરતે કહ્યું ત્યારે તે નિઃશંક થયો, ચન્દન સાર્થવાહ, પ્રાતઃકાલે જઈને રાજાને નિવેદન કર્યું, રાજાએ પણ તેને પૂછયું કે ધન કેટલું હતું? ત્યારે તેણે જેમાં પોતાની માલમિલ્કત લખી હતી તે કાગળ બતાવ્યો.
ભૂપતિએ પણ નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે “ચન્દ શ્રેષ્ઠીનું જે દ્રવ્ય જેણે લીધું હોય તેણે આપી જવું નહીંતર જો રાજ જાણશે તો તે કોપાયમાન થશે. ને ઘણો દંડ કરશે.”
આ પ્રમાણે ઉદ્ઘોષણા પાંચ દિવસ સુધી થઈ તો પણ કોઈ આવીને ધન આપી ગયું નહિ, ત્યારે વિશ્વાસઘાતી યશદતે રાજા આગળ આવી કહ્યું- હે રાજનું માણસે મિત્રના દોષની વાત કહેવી ન જોઈએ, પરંતુ રાજાના અપથ્યની ઉપેક્ષા કરવી જોઇએ નહીં એમ વિચારી હું કહું છું-કહ્યુંચંદનસાર્થવાહની સર્વ માલમિલ્કત ચકદેવે લુંટી છે એવું મેં તેના કુટુંબથી જાણ્યું છે.
રાજાએ કહ્યું કે-એ કુલીનપુરૂષમાં ચક્રદત્તમાં એવું દુરિત ઘટતું નથી તેણે કહ્યું કે શું પુષ્પ ઉત્તમ છે તો પણ તેમાં શું કીડાની ઉત્પત્તિ થતી નથી ? તેવી રીતે તે પણ બનવા જોગ છે. માટે યેનકેન પ્રકારે પણ તેનું ઘર તપાસરાવો. ખોટી દાક્ષિણ્યતાથી નુકશાન
કષાયો આત્મા ઉપર કેવું સામ્રાજ્ય જમાવે છે તે વિચારવાનું છે. આ ભવમાં ચક્રદત્ત અને યજ્ઞદર ગાઢ મિત્રો હોવા છતાં અને મિત્રતાનોજ ખોટો લાભ લઈ ભટ્રીક પરીણામી ચક્રદત્ત ઉપર યજ્ઞદત્ત ખોટું તહોમત મૂકે છે. પૂર્વભવમાં પતિ તરીકે પોતાના વિષયભોગમાં ખામી આવવાને કારણે થયેલો લેષ ભવાંતરમાં પણ મિત્ર તરીકે ઉત્પન્ન થઈ વિના કારણે હેરાન કરે છે અને પૂર્વપ્રેમના યોગે