Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧eo,
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધરાક ગુલામીખત કે આશાવર્તિતા?
જ્યારે આપણે ખરેખરા માલીક નથી તો કહેવું પડશે કે આપણે ટ્રસ્ટી છીએ, માટે એની વ્યવસ્થા તથા સદુપયોગ કરવાનો હક છે, પણ દુરૂપયોગ કરવાનો હક નથી. આથી એકવાત નક્કી થઈ કે કહેવાતો માલીક છતાં વ્યવસ્થા તથા સદુપયોગ કરી શકે ત્યાં સુધી એના કબજામાં એ મિલકત રહી શકે, એ તાકાત ચાલી જાય, માનો કે કોઈ ચક્રમ મગજવાળો બની જાય તો પછી લેણુંદેણું એના (ચક્રમના) વ્યવહારે થાય ? એ દશામાં એણે કરેલો દસ્તાવેજ મનાય ? નહીંજ. દુરૂપયોગથી બચે ત્યાં સુધી એ પેદા કરેલી ચીજનો માલીક ગણાય, એજ ન્યાય આત્મા માટે પણ સમજવો. આત્માની મિલકત અપૂર્વ પણ એની વ્યવસ્થા તથા સદુપયોગ ન કરી શકે ત્યાં સુધી એ તેમ કરવાને સ્વતંત્ર નથી. દુરૂપયોગમાં ન જાય, નુકશાન ન પામે એવી સ્થિતિ સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મા પોતાનો છતાં તેના ઉપર હક આત્માનો-પોતાનો નથી. જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું નથી, અને છઘસ્થાવસ્થા છે ત્યાં સુધી મન, વચન, કાયા એ ત્રણે યોગોને જ્ઞાનીના ચરણે સમર્પ-સોંપી દેવા જોઇએ. સાધુઓ તથા પૌષધ કરનારાઓ “બહુવેલ સંદિસાહું, બહુવેલ કરશું” એમ આજ્ઞા માંગે છે એમાં “બહુવેલ'નો અર્થશો? આ આત્મા હવે દેવગુરૂને સમર્પીયો છે, તેથી પોતાથી સ્વતંત્રપણે કશું ન કરી શકાય. આજ્ઞા વિના કાંઈપણ થાય નહિ. આપણું ઘર પણ કોઇને અર્પણ કર્યા પછી જાળી કે પગથીયું ફેરવવાનો હક્ક આપણો રહેતો નથી. એજ રીતે આત્મા (મન, વચન, કાયા સમસ્ત) જ્ઞાનીને અર્પયા પછી તેમાં કાંઈ પણ પ્રવૃત્તિ કરવાનો હક પોતાનો રહેતો નથી. આથી દરેક ક્રિયા આજ્ઞા લઈને જ કરાય, પણ શ્વાસનું ચાલવું, આંખનો ટમકારો વિગેરે કેટલીક ક્રિયા એવી ચંચલ છે કે જેમાં આજ્ઞા માંગવાનો અવકાશજ નથી, એ ક્રિયા વિચારથીજ થાય છે તેમ નથી, રોકવા ધારે તો રોકાય તેમ નથી, વારંવાર થતી એવી ચાલુ ક્રિયાઓ માટે બહુવેલ સંદિસાહુ, બહુવેલ કરશું' એ સૂત્રથી અગાઉથી રજા લઈ લીધી આવી ક્રિયાઓમાં પણ આજ્ઞાની જરૂર ? હા ! રોકયું રોકાય નહી સહેજે થાય તેવા પ્રસંગે પણ આત્મ-સમર્પણની હદ જ્ઞાની પુરૂષોએ કેટલી બધી રાખી છે, તે આપણે “બહુવેલ સંદિસાહુ અને બહુવેલ કરશું” એ સૂત્રથી આજ્ઞાધીનતાદ્વારા હેજે સમજી શકીશું.
ત્યારે શું આ ગુલામીખત છે ? ગુલામીખતમાં પણ શ્વાસ લેવાની, આંખ મટમટાવવાની રજા લેવાની હોતી નથી, તો આ તો એથીયે વધ્યું ! ગુલામી અને આજ્ઞાવર્તિતામાં ફરક છે. પોતે કરવાધારે તોયે માલીકની સત્તાના જોરે તે ન કરી શકાય એનું નામ ગુલામી, પણ પોતાના રક્ષણ માટે બીજાની આધીનતા સ્વીકારાય તે ગુલામીપણું નથી. ધનાઢય ગૃહસ્થનો સિપાઈ પગારથી રોકેલ છે તે પોતાની પ્રવૃત્તિ રોકવા માટે નથી, પણ પોતાની સાહ્યબી ખાતર છે; પણ કેદીની પાછળના સિપાઇઓ તો એની પાપમય પ્રવૃત્તિને રોકનારા છે. પોતાની પ્રવૃત્તિને ઇચ્છા વિરૂદ્ધ
જ્યાં રોકવામાં આવે ત્યાં ગુલામી પોતેજ પ્રવૃત્તિમાં અનર્થ દેખે તે વારંવાર માટે સ્વંય બીજને આધીન થાય એ ગુલામી નથી. દરદ થાય ત્યારે ડૉકટરની ટ્રીટમેંટમાં રહેનારો, “આ ન ખાવું, આ ન પીવું, આમ વર્જવું વિગેરે ડૉકટરના હુકમને માનનારો શું ડૉકટરનો ગુલામ છે? નહીં.