Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
થી કિ
(પાક્ષિક)
કર
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૭-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાન્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઈ, તા. ૧૫-૧-૩૪ સોમવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૮ મો.
પોષ વદ ૦)) ( વિકમ , ૧૯૯૦
૦ આગમ- ચ. ૦ સ્થાપનાદ્વારા એ સાધુશ્રાવકને લાભ સંપાદન કરવાના માર્ગો ભિન્ન ભિન્ન છે. પોતાની પૂજા માટે બારેભાગોળ ખૂલ્લી” એવા આક્ષેપો જિનેશ્વરદેવપર ન નંખાય. સામુદાયિક નિરૂપણમાં વ્યક્તિ માટેનું પ્રવર્તકપણું માનવું તે અસ્થાને છે. ભાવપણે પરિણમન તે દ્રવ્યપૂજન. નિસીમબહુમાનની પરાકાષ્ઠાએ પહોંચેલા પુણ્યાત્માઓ !! પૂજન માટે વિચારણા.
કેટલાક લોકો સ્થાપના નિક્ષેપાની સત્યતા તેની વંદનીય, નમનીય અને પૂજનીયતા વિગેરે શાસ્ત્ર અને યુક્તિથી સાબીત થવાથી તે બાબતમાં કંઇપણ બોલવાની જગ્યા નથી રહેતી, ત્યારે ભદ્રિકલોકોને ભરમાવવા એવા મુદ્દા આગળ કરે છે, કે જો સ્થાપનાની સત્યતા હોવાથી વંદનીય નમનીય અને પૂજનીયતા હોય તો સાધુઓ શા માટે ભગવાનની મૂર્તિની તે સર્વ આરાધના કરતા નથી? આ મુદ્દાનું પોકળ એટલાજ ઉપરથી જણાશે કે દરેક સાધુ કે સાધ્વી જિનેશ્વર ભગવાનની સ્થાપના નિક્ષેપા તરીકે સત્યતા માની તેમની મૂર્તિને વંદન અને નમન તો કરે જ છે તો તેટલા માત્ર ભગવાનની મૂર્તિના વંદન, નમનને ઉપરના મુદ્દાવાળાઓ કેમ સ્વીકારતા નથી? વાસ્તવિકરીતિએ સાધુ કે સાધ્વી ભગવાનની