Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૩૧-૧૨-૩૩
૧કo
શ્રી સિદ્ધચક્ર ર૬ જુઠું બોલીને સત્યમાં ખપવાવાળા પ્રત્યે અનુકંપા રાખતાં શીખો, પરંતુ તેમની વાહવાહ તમે
કરો નહિ. ૨૭ ખરાબ પદાર્થો પોતાની ખરાબ ગંધથી જગતને જાહેરાત કરે છે, તો પછી સારા સજ્જન
પુરૂષોએ પોતાની સજ્જનતાથી સમગ્ર સૃષ્ટિને સુગંધમય કરવા પ્રયત્ન કરવો જોઇએ. ૨૮ દી ઉગે દેવાળું કાઢનાર દેવાળીઆઓને દેખીને શાહુકારો હિંમતભર આગળ વધે છે, તેવી રીતે
હોફાટે પતિતોના પડવાના પ્રસંગો પેપરમાં પેખીને પુણ્યાત્માઓ (તીવ્રસંવેગી)ઓ પવિત્ર (સંયમ) માર્ગમાં આગળ ધસે છે; બલ્ક પતિતોની પામરતા માટે પલકભર હસે છે ! એટલે
હૃદયથી વિચારે છે કે બિચારો પામીને હારી ગયો !! ૨૯ શૂરવીરોનું જીવન શત્રુઓ વચ્ચે જીવાય છે, તેવી રીતે સજ્જન પુરૂષોની સજ્જનતા
દુર્જનોની અનેકવિધ દુર્ભેધ દુર્જનતા વચ્ચે અપ્રતિહત રહે તો તે કીંમતીપણે પ્રકાશિત થાય છે. જેમ સુવર્ણ ખાણમાંથી નીકળી માલ વગરની માટી સાથે ગધેડે બેસીને આવે, અગ્નિનો તાપ સહન કરે, લોખંડના એરણપર હથોડાના માર સહન કરે, (ચણોઠી) કાળા મોઢા સાથે સરખામણી કરે અને કાળા પત્થર સાથે ઘર્ષણ પરીક્ષામાં પાસ થાય તો તે સાચું
સુવર્ણ થઈ શકે. ૩૦ નિર્બળપર એક એકનો હલ્લો હોય, બળવાન પર સમુદાયનો હલ્લો હોય, શુરવીરનાજ શત્રુઓ
હોય, અને શુરવીરોએ આખા જૂથને પાણી પાવાનું હોય; તેવી રીતે આત્માએ શુરવીર થવું ઘટે છે, કારણકે એકએક પ્રદેશપર કર્મની અનંતી વર્ગણાઓનો હલ્લો છે અને બળથી કામ ન લેવાય તો કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવારૂપી ભેદ નીતિથી કામ લેવું જ પડશે.
(પાના ૧૬૮નું અનુસંધાન) ૯૨૭ સ્પર્શનઈદ્રિયના સ્વપ્નવત્ સુખમાં સપડાયેલાઓને બ્રહ્મચર્યની કિંમત સમજાતી નથી. ૯૨૮ વિષયવાસનાથી વિંધાયેલો અબ્રહ્મની આંધળી રમતમાં કેટલા જીવોનું ખુન કરે છે, તેની નોંધ
રાખનારું ખાતું આ જીવે ખાતાવહીમાં ખોલ્યું જ નથી. ૨૯ શીયળવંતીની પાછળ પડેલા સેંકડો ગુંડાને પવિત્ર શીયળની કિંમત સમજનારી શીલવંતી ધુળ
ફકાવે, તો પછી દીક્ષાદેવીની પાછળ પડેલા પાપાત્માઓને દીક્ષાની કીંમત સમજનારા દીક્ષાર્થીઓ
પોક મુકાવે તેમાં તમારું હૃદય શું કહે છે? ૯૩૦ સુરતનો વાંદરો મુંબઇ, મુંબઇનો વાંદરો કલકત્તા વિગેરે સ્થાને જાય, પણ મનમર્કટની મુસાફરી
એવી તો અજબ છે કે તેનું માપ કાઢવું ઘણું મુશ્કેલ છે.