Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સિમાલોચના |
(અનુસંધાન-પા. ૧૩૯). ૧. “અશુભભાવક્ષયને માટે હું દીક્ષા લઉં છું” એમ કહેનારો દીક્ષાર્થી ગ્રહણ કરવા યોગ્ય છે,
અર્થાત દીક્ષા દેવા યોગ્ય છે; ને તેને ગ્રહણ કરવામાં (દીક્ષા દેવામાં) ભજના નથી એમ
પંચવસ્તુકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી સ્પષ્ટ જણાવે છે. ૨. પરીક્ષા પ્રવચનવિધિથી કરવાની કહેલ છે, માટે પ્રવચનવિધિના પરમાર્થને જાણવાની જરૂર છે.
સપરિણામકનો અર્થ સુંદર પરિણામ કહેનાર ઈતર જે અલ્પ ને બહુકાલને માટે કહ્યા તેને માટે
શું ખરાબ પરિણામ લેશે ? અર્થાત શું ખરાબ પરિણામવાળાને દીક્ષા આપશે ? ૩. પરીક્ષામાં પરિચિત-અપરિચિતપણું લગાડવું યોગ્ય છે કે શાસામાં પૃચ્છાને તે પરિચિત-અપ
રિચિતપણું લગાડયું છે તે યોગ્ય છે? ૪. શ્રીઆચારા પ્રકલ્પ વિગેરે શાસ્ત્રોમાં કહેલ દીક્ષા વિધાનમાં ગોચરી, અચિત્ત ભોજન, ભૂમિશપ્યા,
અસ્નાન અને કેશલોચના અંગીકાર કરે (સ્વીકાર કરે છ7) દીક્ષા દેવાનું વિધાન છે. ૫. અન્યમતનું વકતવ્ય ને કર્તવ્ય જૈનમત પ્રમાણે જ છે એ માન્યતા કોને શોભે? ૬. શ્રીઆચારાંગસૂત્રના ટીકાકાર ભગવાન શ્રીશીલાંકાચાર્ય સ્પષ્ટ જણાવે છે કે ભગવાન મહાવીરદેવે
જ્ઞાનાદિ અથવા તપ સ્વતઃ આચાય છે, માટે મોક્ષની ઇચ્છાવાળા બીજાઓએ પણ અવશ્ય એ આચરવું, છતાં જેઓ ન માને ને અનુકરણીયતાનો સર્વથા નિષેધ કરે તેની ધારણા શાનીગમ્ય
સમજાય છે ! ૭. કલ્પાતીતપણામાં સર્વનિગ્રંથો અને સ્નાતકો હોય છે એમ સમજવાવાળો કલ્પાતીત શબ્દને
આગળ કરીને અનુકરણીયતાનો નિષેધ કરે? ૮. જિનકલ્પએ સંવનન ને શક્તિવાળાને આચારણીય માનનારા જિનકલ્પને કેમ અનુકરણીય ન
માને ? ૯. સ્થિતકલ્પ ને અસ્થિતંકલ્પ કે સ્થવિરકલ્પ ને જિનકલ્પ સિવાયના બધા સાધુ ને કલ્પાતીત
ગણ્યા છે એ સમજવાનું છે. ૧૦. ચોથી સુખશવ્યા અરિહંત ભગવાનના અનુકરણથી તપ ન કરવારૂપ છે. ૧૧. ઉત્સાહ માટે આસનોપકારી વીરપ્રભુનું દષ્ટાંત માનનારે અનુકરણીયતા નથી માની એમ કેમ
કહેવાય ?