Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૬
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર ઉપકાર આગળ) એની કિંમત કોડીની છે. લોકોત્તર તત્ત્વની પ્રાપ્તિ આગળ, એટલુંજ નહિ પણ સમજણ આગળ માબાપનો ઉપકાર કિંમતી નથી ! દિક્ષાની આડે જો ધર્મકૃત્યો ન આવે, તો લૌકિક ઉપકાર શી રીતે આડે આવી શકે?
આ જીવે કેટલાક માબાપો કર્યા એ જણાવવા માટે શાસ્ત્રકાર કહે છે તે જરા વિચારો ! બચ્ચાનું પોષણ માતાના દુધના આધારે છે. બચપણમાં દુધ પીવાય કેટલું? મળે કેટલું? આખી જીંદગીમાં ઓછામાં ઓછો ખોરાક માતાના દુધનો છે. શાસ્ત્રકાર કહે છે કે આ જીવે અનાદિથી ભમતાં કરેલી માતાઓનાં પીધેલાં દુધને જો એકઠું કરીએ તો તેની પાસે સ્વયંભૂરમણ સમુદ્ર જે ચૌદરાજ લોકમાં દસઆની ભાગ છે તે પણ તુચ્છ છે. અસંખ્યાત કોડાકોડિ યોજને એક રાજલોક તે વાત ધ્યાનમાં લેવી. જંબુદ્વીપ એકલાખ યોજનાનો છે, લવણસમુદ્ર એલાખ યોજનાનો છે વિગેરે વાતો જૈનદર્શનના જ્ઞાનથી પરિચિત થયેલાને જાણીતી છે. આમાં દસ આનીમાં સ્વયંભૂરમણ સમુદ્ર આટલો મોટો સમુદ્ર પણ માતાના દુધની આગળ ખાબોચીયા જેવો લાગે.
માતા કરતાં શ્રીજિનેશ્વરદેવ મળવા ઘણાજ મુશ્કેલ. દસ કોડાકોડ સાગરોપમના કાલમાં જિનેશ્વરી માત્ર ચોવીસજ: જ્યારે આ જીવ એટલાકળમાં કેટલી જીંદગી કરે અસંખ્યાત! તો માતા કેટલી થઇ? એ ગણિત ગણીએ અને પછી અનાદિના ભવની પરંપરાની ગણત્રી કરીએ ત્યારે ખબર પડે કે માતાઓ કેટલી ! અને દુધ કેટલું !! શ્રી તીર્થકર ભગવાન મળવા મુશ્કેલ તે કરતાં તેમની સેવા પૂજા, આરાધના બુદ્ધિએ પરમ કર્તવ્ય ખરુંને ! છતાં દીક્ષા લે એ તે તરફ બેદરકાર ખરોને ! કેમ ? દિક્ષિતાવસ્થામાં શ્રી તીર્થંકરદેવની પૂજા કરવાની નથી. માબાપની ભક્તિ કરતાં શ્રીજિનેશ્વરદેવની પૂજા
ઓછી નથી એમ તો સમકિતીને માનવું જ પડેને ! આવી શ્રીજિનેશ્વરદેવની પૂજા છોડી દઈને સાધુપણું લેનારે તેમનો અનાદર કર્યો ન ગણાય? નહીં, અનાદર કર્યો નથી, કેમકે શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતાં ત્યાગધર્મ અનંતગુણો જબરજસ્ત છે. “શ્રીજિનેશ્વરદેવની પૂજા કર્યા વિના પાણી પણ મોંમાં નાખવું નહીં,” એવા નિયમવાળો આજે દીક્ષા લે તો પૂજા કર્યા વગર પાણી મોંમાં ઘાલી શકે કે નહી ? પચ્ચખ્ખાણ પર પાણી તો નથી ફરતું ને ! સમકિત દ્રષ્ટિને પહેલે નંબરે ભગવાનની પૂજા છે તે પણ દીક્ષા લેતી વખતે કોરાણે કરવાની છે, તો પચ્ચખાણભંગથી એ ડુબી નહી જાય? અહીં સમજવાનું કે પૂજા પર તત્વ ન રહ્યું,પૂજા (દ્રવ્ય પૂજા) કરતાં અહીં અનંતું ફળ છે. એ પૂજાની પ્રતિજ્ઞા વ્યવહારથી ખસી તેની અડચણ નહી, પણ ભાવથી પૂજા કરવાની મળી; અર્થાત્ ત્યાગધર્મ આદરવો એજ શ્રેષ્ઠ છે. શ્રીજિનેશ્વરદેવની પૂજા એ સર્વસાવધના ત્યાગરૂપ દીક્ષામાં બાધક નથી. ધાર્મિકકરણીઓ, સમ્યકત્વની કરણીઓ જો દીક્ષાને બાધકરનાર ન હોય તો દુનિયાના લૌકિક ઉપકારો બાધ કરનાર કયાંથી થાય? સુપાત્રદાન દીધા વિના નહિ ખાવાનો નિયમ હોય, મહીને મહીને શ્રીસિદ્ધાચળજી તીર્થે જવાનો નિયમ હોય અને દીક્ષાનો વિચાર થાય તો શું કરવું દીક્ષા લીધા પછી નહિ તો દાન દેવાય કે નહિ તો ધાર્યું એ તીર્થાધિરાજે જવાય. જ્યાં સુધી ત્યાગધર્મ ન મળે ત્યાં સુધી જ એ બધું કરવા લાયક ત્યાગ ધર્મ મળે પછી પૂજાનો, તીર્થયાત્રાનો કે અતિથિ સંવિભાગનો નિયમ રહો કે ન