Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૧૯
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક માટે ધણી જે પંથે વળે તે પંથે વળવું તે સ્ત્રી માત્રની ફરજ છે ઘણી હૃદયપૂર્વક જે કાંઈ આપે તે લેવામાં વાંધો નહિ પણ હક તરીકે માંગવું તે અસ્થાને છે, વાસ્તવિક રીતે લેશભર પણ માગી શકે નહિ.
પ્રશ્ન ૭ - એક માણસની પાછળ આખું કુટુંબ પોષાતું હોય, અનેક સંસ્થાઓ ચાલતી હોય, જૈન સમાજનું સારું હત-સચ વાતું હોય તેવા એકને દીક્ષા ન આપી હોય તો વાંધો શું? અને કદાચ આપે તો કુટુંબ રીબાય, સંસ્થાઓ સડે, અને જૈન સમાજ આંસુ સારે તેનું પાપ કોને ?
સમાધાન - ખરી રીતે જૈન શાસનની વિશાલતા તમોએ પીછાણી નથી કારણ કે એક કુટુંબને છોડી જગતભરની એકેન્દ્રી થી પંચેન્દ્રી સુધીના સર્વ કુટુંબનું રક્ષણ જે દીક્ષામાં થતું હોય, અરે બે પાંચ અને પચીશ સંસ્થાઓ નું સ્વમિત્વ છોડીને જગતભરની સર્વ સંસ્થાઓમાં નવજીવન પ્રોત્સાહન (જે દિક્ષા દ્વારા) અપાવાતું હોય, તેવી જગત ભરના સર્વ સ્થાનોની શાંતિના અદ્વિતીય સાધનરૂપ દીશાને રોકી શકાયજ કેમ? કસાઇના છોકરાને કોઈ સાધુ જીવ નહિ મારવાના પચ્ચખાણ આપે છે અને પચ્ચખાણના અમલથી આખું કુટુંબ રીબાય છતાં પચ્ચખાણ કરાવનાર સાધુને પાપ લાગે નહિ.
આસનોપકારી પ્રભુ મહાવીરદેવના શાસનમાં ચારબુદ્ધિના નિધાન અભયકુમારની દિક્ષા દેવાયા પછી તુરતજ સમ્યકત્વ શિરોમણી શ્રેણિક જંજીરોમાં જકડયા, કોરડાના મારથી કાયર બન્યા. હીરો ચસી મર્યા. રથમશલ અને મહાશીલકંટક યુદ્ધ વિશ્વમાં વિસ્તર્યા, નારાયણ ચેડા મહારાજા. ગણરાજાઓ અને અનેકજીવો વગર મોતે માર્યા ગયા વિગેરે વિગતવાર બીના શાસ્ત્રકારો સમજો અને તેથી જ પરમાધ્ય પરમકપાળ પરમાત્મા સર્વ પ્રભમહાવીરદેવ આ બધું થશે એવું જનાર છતાં પણ એક અભયકુમારના આત્મ કલ્યાણના આદર્શમાર્ગને રોકી શકયા નહિ; આજદીન સુધીમાં થયેલ દીક્ષાઓના તોફાન વિરોધીઓ દ્વારા અસત્યપણે અંધારા કુવામાં હડસેલવાથી ભલે જગબત્રીશીએ ચઢયા હોય પણ તે બધીએ દિક્ષાઓ આ દિક્ષા જેટલી નીંદનીય નથી. શાસ્ત્રમાં પૂર્વે પ્રસિદ્ધ થયેલ અને વર્તમાનમાં સામેલ આ પ્રસંગનું પરિપૂર્ણ રીતે વાંચન મનન અને પરિશીલન થશે તો દીક્ષા માટે થતો વિરોધ હૃદયમાંથી જરૂર વિસર્જન થશે અને ભવિષ્યમાં આ આત્મા તેવી પાપમય કાર્યવાહીથી જરૂર કાયર બનશે; બલ્ક તેવા કલેશદાયક કાર્યથી બચી અત્યુત્તમ કલ્યાણ માર્ગને આરાધી સ્વપરહીત સહેજે સાધી શકશે. પ્રશ્ન ૮ - યુગ પ્રધાનોમાં મોટો ભાગ બાળદીક્ષિતોનો છે તે કયા શાસ્ત્રમાં છે? સમાધાન - જુઓ-યુગપ્રધાનચંડિકા ગ્રંથ.
પ્રશ્ન ૯ - બાળ, ગ્લાન, તપસ્વી આદિ બીજાઓને લોન્ચ કરવો જ જોઈએ અને લોચ ન કરે તો બીજી કઈ રીતે થઈ શકે ?
સમાધાન- અવ્યંજન જાત (કાખ, દાઢી, મુછનાવાળ જેને ઉગ્યા નથી) તેવાને ઐચ્છિક (ઇચ્છાનુસાર), તાવ વિગેરેની પીડા થતી હોય તેવાને ઐચ્છિક,માથામાં ગુમડા વિગેરે થયા હોય તેવાને ઐચ્છિક, તે સિવાય બધાને લોચ ફરજીયાત કરાવવા જ જોઈએ. પ્રશ્ન ૧૦ - સર્વ સાવધના ત્યાગ માત્રથી સર્વજ્ઞદેવના શાસનમાં સાધુપણું સંભવે કે નહિ ?
સમાધાન- સર્વસાવદ્ય-પાપમય પ્રવૃત્તિ ત્યાગ કરે તેટલા માત્રથી સાધુપણું આવતું નથી, પણ તે ત્યાગની સાથે આત્મા મુખ્ય ગુણ પૈકી દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને વિશુદ્ધ કરતી દશવિધ ચક્રવાલ સમાચારીને સેવે તેજ સાધુ હોઈ શકે; જો એમ ન માનીએ તો તિર્યંચોને પણ સાધુ માનવા પડશે; કારણકે સત્સમાગમના પ્રસંગે અવધિજ્ઞાનાદિ પ્રાપ્ત થયું છે એવા તિર્યંચો પણ સર્વસાવદ્યના ત્યાગનો અભિગ્રહ સિદ્ધભગવંતોની સાક્ષીએ કરે છે; પણ ત્યાં દશવિધ ચક્રવાલ સમાચારી વિશિષ્ટ પ્રતિલેખણાદિ ક્રિયાનો અભાવ હોવાથી તે તિર્યોમાં સાધુપણું શાસ્ત્રકારોએ માન્યું નથી.