Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર
૧૨૯
સમાલોચના. આ
નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો આક્ષેપો, અને સમાધાનો અત્રે અપાય છે.
તંત્રી. ૧. ભગવાન્ મહાવીર મહારાજા ઉપર શ્રીગૌતમસ્વામીજીને જિનેશ્વરપણાનો અપૂર્વ પ્રશસ્ત રાગ હતો પણ સાથે સ્નેહરાગ પણ હતો, ને તેથીજ શાસ્ત્રકારોઃ
मोकखमग्ग पवन्नाणं सिणेहो वज्जसिंखला । वीरेजीवंतए जा ओ गोयमो जं न केवली ॥१॥
એ ગાથામાં મોક્ષમાર્ગવાલાને વજની સાંકલ જેવો રાગ ગણાવતાં શ્રીગૌત્તમસ્વામીજીના રાગને સ્નેહરાગ ગણાવ્યો છે. વિરસંસિટોસિ વગેરે પદો ઘણા ભવથી ભગવાન મહાવીર ઉપર શ્રીગૌત્તમસ્વામીજીનો રાગ જણાવે છે. વળી દીવેલ જેમ અજમલને કહાડી પોતે નીકળી જાય, તેમ અપ્રસ્તરાગને કહાડીને સ્વયં નીકળી જનાર પ્રશસ્તરાગ હોય છે; મોક્ષમાર્ગનો પ્રતિબંધ કરતોજ નથી.
૨. ઢુંઢીયાઓએ બત્રીસસૂત્રો જે માનેલાં છે, તે મંદિર માર્થિઓએ માનેલાંજ પીસ્તાલીશ આગમ પૈકીનાંજ છે, વળી તે બત્રીસમાં પણ પ્રતિમા માનવાનાં પાઠો ઘણા છે.
૩ ૩ત્તરાનિયત:પૂર્વત્નામ: એવા શ્રીભાષ્યકારના તેમજ નાર્વસિસ ના નાળ વિUT ન હતિ વરVITUIT એવા શ્રીઉત્તરાધ્યયનન વચનથી ચારિત્રવાળાને સમ્યકત્વ જરૂર હોય છે. વળી અષ્ટ પ્રવચન માતાનું માત્ર જ્ઞાન હોય તો પણ સમ્યગુજ્ઞાન કહેવાય છે. ચારિત્ર ગ્રહણ કરનાર એકલા નિસર્ગ સમ્યકત્વવાળો હોય નહિ.
૪. અનુત્તરવિમાનવાળાને પણ ઘાતી કર્મ હોય છે, ને તે પાપરૂપ છે માટે અનાચાર અધ્યયનમાં એકલા પુણ્યવાળા કે પાપવાળા જીવો છે એમ કહેવામાં અનાચાર જણાવે છે. વળી ધાતી વિના ભવભ્રમણ હોયજ નહિ તેથી પાપ વગરનો કોઈપણ જીવ જન્મ ધારણ કરી શકે નહિ ઘાતી કર્મ કોઇપણ દિવસ અઘાતિપણે પરિણમે નહિ. ધ્યાનથી પાપના ક્ષયની માફક પુણ્યનો ક્ષય માનનાર વસ્તુને સમજતો નથી.
૫. સરાગ ચારિત્રમાં દેવલોકનું આયુ બંધાય છે, વીતરાગ ચારિત્રમાં જ મોક્ષ થાય છે. ૬. ભગવાનના વચનમાં શંકા કક્ષા મોહનીયના ઉદયેજ થાય ને તે ભાવવૃદ્ધિજ કરાવે.
૭. સર્વજ્ઞ ભૂલ કરી છે એમ માન્યા છતાં તેને મિથ્યાત્વ ન માને ને શંકા માને તેને વિચારવાની જરૂર છે.
૮. ફોનોગ્રાફમાં શબ્દ વર્ગણાના પુદ્ગલો ભરાઈ રહે છે એમ માનવું અયોગ્ય જ છે, પણ તે ભાષાના પુદ્ગલોથી એવા ત્યાં સંસ્થાનો થાય છે કે જેથી સોયના સંયોગે તેવીજ ભાષા ઉત્પન્ન થાય, પણ આકાશનો ગુણ શબ્દ માનીએ તો તે શબ્દને ઉત્પન્ન થવાના કારણભૂત સંસ્થાનો બનાવવાની તાકાદ રહે નહિ, જેમ હારમો યમનની વીણા ભાષા સમયને ઓલંઘેલી ભાષા અભાષા થાય છે.
૯. આચારાંગને દૃષ્ટિવાદ સિવાયના અંગના નામો અશાશ્વતા કહેવામાં પ્રમાણની જરૂર છે.