Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પપ
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩
દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું રહસ્ય
જે સામાયિક ચારિત્ર લે છે તે આખો સંસાર છોડે છે, પણ એ આખો સંસાર શા માટે છોડે છે? તીર્થકર મહારાજાઓની સેવા માટેજ તો પછી એમ કેવી રીતે કહી શકાય કે સામાયિકમાં તીર્થકરની સેવાનો ઉદ્દેશ નથી ? પ્રતિપત્તિપૂજામાં તો ભાવપૂજા આદિ સઘળુંજ રહેલું છે એમાં ભાવપૂજા અવશ્ય છે પરંતુ દેવાર્શનાદિ જે કહ્યા છે તે કાર્યોમાં મણભાવપૂજા છે, અર્થાત્ ભાવ મુખ્યતાએ દ્રવ્યપૂજાજ છે. ભાવપૂજન કરવામાં આવતું હોય તે સમયે તેમાં દ્રવ્યપૂજાનો ઉદ્દેશ ન જ રહેવો જોઇએ, જો તેમાં દ્રવ્યપૂજાનો ઉદ્દેશ રાખ્યો તો રાખનારો નિશ્ચય માની લો કે ઉન્માર્ગ ગામી છે. દ્રવ્યપૂજા કરવામાં આવતી હોય ત્યારે ભાવપૂજાનો ઉદ્દેશ જરૂર રાખવો જોઇએ, અને એ ઉદ્દેશ રાખવો એ શાસ્ત્રિય છે. પરંતુ ભાવપૂજા વખતે દ્રવ્યપૂજાનો ઉદ્દેશ રાખવો એ શાસ્ત્રિય નથી. આ વાત આમ સિદ્ધાંતરૂપે જણાવીએ છીએ ત્યારે અર્થગ્રહણ કરવામાં ઓછી શક્તિવાળા છતાં પોતાને સર્વશક્તિમાન માનનારા કેટલાક મૂર્ખાઓ અવળુંજ લઈ પડે છે અને તેઓ કહે છે કે જો પૂજા કરીએ તે કરતાં સામાયિક કરીએ તો તે વધારે સારું છે તો પછી પૂજા કરવાની જરૂરજ શું છે ! પૂજા કરવામાં જેટલો વખત રોકીએ તેટલોજ વધારે વખત સામાયિકમાં રોકીએ તો ખોટું શું !
ઠીક, હવે આપણે ઉપરના પ્રશ્નો વિચાર કરીએ. ગુરુ પાસે જ્યારે સામાયિક લેવામાં આવે છે ત્યારે ખમાસમણ દેવામાં આવે છે તે તો તમે સઘળા જાણો છો, તો પછી એ ખમાસમણમાં જેટલો વખત ગાળવામાં આવે છે તેટલો વખત ન ગાળતા તેટલો સમય વહેલું સામાયિક લેવામાં આવે તો કેમ? તમે કહેશો કે એટલો સમય ગુરુવંદનમાં ન ગાળતા તેટલો સમય સામાયિક લેવું એજ વધારે બહેતર છે; પણ આ માન્યતા કેવી ભૂલભરેલી છે તે જાઓ ! તમે સામાયિક સમયે જે ગુરુવંદન કરો છો તો ગુરુવંદન પણ સામાયિક રૂપેજ છે કારણ કે તમે એ ગુરુવંદન સામાયિકના ઉદ્દેશથીજ કરો છો તેજ પ્રમાણે પૂજાવિધિમાં પણ લેવાનું છે તમે તીર્થકર ભગવાનોનું પૂજન કરો છો એ શા માટે કરો છો ? શું પૈસા મેળવવા માટે, સ્ત્રી મેળવવા માટે, પુત્રપુત્રી મેળવવા માટે, તમે તીર્થંકર પૂજા કરો છો ? નહિ. તમારી તીર્થંકર પૂજા સાવધ ત્યાગ માટે હોવાથી તેનું ફળ સામાયિકથી ઉતરતું નથી! સામાયિક સમયે ગુરુવંદન કરો છો. એ ગુરુવંદનની કિંમત સમજો તોપણ બસ છે. ગુરુની કિંમત ભગવાનની સામે કેટલી છે ? એક ટપાલી જેટલી ! ટપાલી એક કાગળ એક જગ્યાનો લઈને બીજી જગ્યાએ આપે છે તે પ્રમાણે ગુરુઓ તીર્થકરોના કથિત અને પૂ. ગણધર ભગવંતોના ગુલ્ફિત શાસ્ત્રોમાંથી સામાયિક આદિ વસ્તુઓ ઉઠાવી લઈને તમોને આપે છે, ત્યારે ધર્મના ટપાલી માટે તમે ગુરુવંદનનો સમય ફાજલ પાડી શકો તો પરમ તીર્થાધિપતિ માટે તમારાથી સમય ફાજલ ન પાડી શકાય, એ તે કોના ઘરની વાત છે ? સામાયિક લાવી દેશરાની આટલી કિંમત છે, તો એ સામાયિકનું નિરૂપણ કરનાર અને તેને પ્રકટ કરનારની તમારે કેટલી કિંમત માનવી જોઇએ ? ત્યાગના કેન્દ્ર ઉપર-“લ” ને સ્થાને “દ”
બીજી એક વાત મને યાદ આવે છે તે પણ તમને કહી દઉં છું. ધારો કે એક માણસ દરરોજ આઠ વાગે સામાયિક કરવા બેસે છે. આઠ વાગે સામાયિક કરવાનો તેનો નિયમ છે પણ તે છતાં જો એજ ટાઇમે ગુરુ આવે તો? ગુરુ આવે તો સામાયિક કરનારો જરૂર એ સામાયિક પડતું મૂકીને ગુરુને