Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨-૧૧-૩૩.
શ્રી સિદ્ધચક્ર - મનહર -
શર કેરી ધાર જેવો વિષના વિહાર જેવો ! વજ કેરા વાર જેવો કોઈ દીલે થાય છે, લાગ્યું ખુબ અપમાન થયો તેથી પરેશાન ! હૈયું થયું છે હેરાન ખુબ તે દુખાય છે, લેવા પુરૂં તેનું વેર શત્રુ જ્યારે કર્યું જે, સુખે વસું ત્યારે ઘેર એમ ઉર ચહાય છે ! લીધી વીરા એવી ટેક + પાળુ હવે તેને છેક,
એજ આશા દીલે એક નિત્ય વિચારાય છે ! કેતુ (ધીમેથી પણ ગંભીરતાથી) અહો મિત્ર ! તારા કથનપરથી એમ લાગે છે કે તુ કોઈ
જગ્યાએ ભયંકર અપમાન વેઠીને આવેલો છે અને તેથી તારી આ સુંદર દેહલતા સળગતી દેખાય છે. ક્રોધના શ્વાસોશ્વાસ નીકળતા જાય છે અને તારું હૈયું ધડકતું જણાય છે, પણ વત્સ ! શાંત થા ! કારણ કે,
- દૂતવિલંબિતદીલ વિષે બહુ ક્રોધ વધી જતાં, કુટિલ કર્મ પછી કરથી થતા, અતિશ પાપ ઘડે દુર કામથી, મનુજના શુભ લક્ષણ એ નથી ! વધી જતો ઉર કોપ સમાવવા, તમ કરે સહુ યત્ન ઘટે થવા ! સલિલ શાંતિ તણું સીંચીને સદા,
દુર કરો દિલથી દુઃખ આપદા ! પુરોહિત- શાંતિ ! શાંતિ કેવી !? અપમાન થયા છતા શાંતી રાખવી એ પુરૂષોનું કામ નથી. જે
પુરૂષ અપમાન થયા છતાં શાંતિ સ્વીકારે છે, તે પોતાના પુરૂષાર્થને ભારે મારે છે. અપમાનનો બદલો લેવો એજ બહાદુરી છે અને વૈરની વસુલાત વિના મારી આશા અધુરી છે-અપૂરી છે !
- કાવ્યવૃતસમ્યુ ન દીલનું વેર જીવન ધાર્યું શા માટે ? વ્યર્થ વિશ્વમાં વસું પછી શાથી ઉચ્ચાટે ! હયો ન શત્રુ હાથવડે પિક ! તો આ કરને!
ફેરા પછી શો રહ્યો કહો નર ને કંકરને ? કેતુ- (હાસ્ય) એટલે શું તું તારા વૈરની વસુલાત કરવા કોઈનો પ્રાણ લેવાને ચાય છે !