Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪
શ્રી સિદ્ધચક
તો, ૧૦-૧૧-33
માધના
ગમો
(દેશનાકાર )
માવતરે
નિ ચાર!
કારક
૪૦૮૪૮દષ્ટક.
પ્રભુ મહાવીરનો અંતિમ-સંદેશ. ઈચ્છાઓનું વર્ગીકરણ અને સાર્વભૌમ સત્તા. ઇચ્છાઓનો અમલ-સંસાર ઇચ્છાઓ પર કાપ-ધર્મ. મરણને મહોત્સવ માનનાર જગતભરમાં જૈનશાસન એકજ છે.-સાધ્ય-સાધનનો સમન્વય શાસ્ત્ર દ્રષ્ટિએ. पुमर्था इह चत्वार कमार्थों तत्र जन्मीनां, अर्थ- भूतौ नामघेयादनर्थो परमार्थतः ॥ બળવાનમાં બળવાન ચીજ.
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજ ત્રિષષ્ઠીયના દશમા પર્વમાં ભવ્ય જીવોના કલ્યાણ માટે ભગવાન શ્રી મહાવીરદેવે હસ્તિપાલ મહારાજાને અંતસમયે જે દેશના આપી હતી તે દેશના જણાવતાં ઇચ્છાનું આ સંસારમાં કેટલું બળ છે, અને ઇચ્છાની પાછળ આ આત્મા કેવો ગાંડોતૂર થઈને ફરે છે તે જણાવે છે. કલિકાલસર્વજ્ઞ જણાવે છે કે દરેક જીવ ઇચ્છાની પાછળ રમી રહ્યો છે. એક ઇન્દ્રિયવાળા જીવોથી માંડીને પાંચ ઇન્દ્રિયોવાળા જીવો સુદ્ધાં સઘળાજ જીવો ઇચ્છાને તાબે છે. જેમ કોઈ એક નાટક યા સિનેમાની અદ્ધિષ્ટાત્રી નાટકના બીજા નટોને નચાવે છે તેજ પ્રમાણે ઇચ્છાએ જગતના જીવોને નચાવે છે, અને ઇચ્છાની પાછળ આ સંસારના જીવો વગર વિચારે ગમે તેમ રખડે છે. સ્ત્રી બાળક પુરૂષ એ સઘળા ઇચ્છાના ગુલામો છે. જે વસ્તુની ઇચ્છા થાય છે તેની પાછળ તેઓ દોડે છે અને પોતાના જીવનની બરબાદી કરે છે. આજ કારણથી શાસ્ત્રકારો જણાવે છે કે મનુષ્યને આ સંસારમાં રખડાવનારી બળવાનમાં બળવાન ચીજ તે ઇચ્છા છે. શાસ્ત્રકારોએ વૈરાગ્યના જે વિવિધ પ્રકારો જણાવ્યા છે તે સઘળામાં પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યનું જે લક્ષણ મૂક્યું છે તે ઉપરથી તેઓ ઇચ્છાનું કેટલું બળ છે તેજ વસ્તુ જણાવે છે. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે ઇચ્છાથી વિરમવું તજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની વ્યાખ્યા ઉપરથી તમારા ખ્યાલમાં