Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨-૧૧-૩૩
મધદેશના
આગમવ્હારે.
(દેશનાકાર)
ભગવતી
,
R
'ભવતી
નહી મૂ] નિચર |
દવેક,
el
૪૦૮૪૮૮૮es.
સામાયિક, દાન, શીલ અને તપ. સામાયિક શા માટે? દેવાર્શનાદિ કાર્યોમાં સામાયિકને મહત્તા શા માટે આપવામાં આવી છે? સામાયિક અને દેવાર્ચન એ બેમાં પહેલું કોણ? ક્રિયા કરવામાં પણ મૂખ્યતા માત્ર ઉદ્દેશનીજ છે બીજાની નહિ! દેવાર્શન થાય છે તે પણ સામાયિક માટેજ બીજા ઉદ્દેશથી નહિ! દરેક કાર્યોમાં મુખ્ય ઉદ્દેશ તો આત્મકલ્યાણનોજ છે! દેવાર્શનનો સાચો અધિકર કોને છે ?-દાન અને તેની મહત્તા-દાન પણ ત્યાગની ભાવનાવાળું હોય તોજ શોભી શકે.-વગર ઈચ્છાએ આવી પડેલાં સંકટો વેઠવા એનું નામજ તપ નથી-સાચું તપ તે છે કે જે ઈરાદાપૂર્વક કર્મ ક્ષયના મુદ્દાથી કરવામાં આવે છે.-જે દાન, તપ, શીલ ઈત્યાદિ ત્યાગને પોષવાની ભાવનાથી યુક્ત છે- તેજ દાનાદિને આ શાસનમાં સ્થાન છે.. અનુષ્ઠાનોનો ઉદ્દેશ.
શાસ્ત્રકાર મહારાજાઓએ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં ચાતુર્માસિક કૃત્યોના આરંભમાં સામાયિકની આવશ્યકતા દર્શાવી છે. શાસ્ત્રકાર મહારાજાઓએ સામાયિકની આટલી બધી આવશ્યકતા શા માટે દર્શાવી છે તે વિચારવાની વસ્તુ છે, સામાયિક એ આવશ્યકની પૂર્તિ સ્વરૂપે છે. આવશ્યક કાર્યોની પૂર્ણતાને માટે સામાયિક જરૂરી છે. તો હવે આવશ્યક શાસ્ત્રકારોએ ક્યા ક્યા દર્શાવેલા છે તે વિચારવાની જરૂર છે. છ વર્ગનો સમુદાય તે આવશ્યક છે, અને આવશ્યકની પૂર્ણતાને માટે સામાયિકની સિદ્ધિ જરૂરી છે. આ રીતે આવશ્યક કાર્યોમાં સામાયિકનું સ્થાન જરૂરનું છે એનો સહજ ખ્યાલ આવે છે. પરંતુ દેવાર્ચનાદિ કાર્યોમાં પણ શાસ્ત્રકારોએ સામાયિકને સૌથી પહેલું ગણાવ્યું છે, તો એ વિચારવાની જરૂર છે કે દેવાર્શનાદિના કાર્યોમાં સામાયિકને સૌથી પહેલો નંબર શા માટે