Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
૪૧
IIIIIII
i:
૭૬૮ જીવનના બે પ્રકાર છે જડજીવન અને જીવજીવન, જો તમે જીવજીવન મેળવ્યું હોય છતાં તે
સફળ કરવાની ભાવના ન હોય તો એ બંને પ્રકારના જીવનમાં કશો ફેરફાર નથી. ૭૬૯ જે જીવન દ્રવ્ય પ્રાણવાળું જીવન છે તે જીવનને જડજીવન કહેવામાં કશો જ વાંધો નથી. ૭૭) ભાવપ્રાણના વિનાશથી જેઓ ભડકે છે તેજ સમ્યકત્વ પામેલા છે અને એ સ્થિતિ તેજ
સમ્યત્વ છે. ૭૭૧ અઘાતી પાપોના ઉદયથી ડરો છો પરંતુ ઘાતી પાપના પરિણામનો વિચાર સરખો પણ ન કરો
તો એના જેવી બીજી એક પણ મૂર્ખાઈ નથી. ૭૭૨ મિથ્યાત્વીઓ પણ જીવને માને છે, અને તમે પણ એજ રીતે મિથ્યાત્વીની માફક જીવને માનતા
હો તો તમારામાં અને મિથ્યાત્વીમાં કશો ફરક નથી એની તમારે નોંધ લેવીજ જોઇએ. ૭૭૩ દ્રવ્યદયાના ભોગેજ ભાવદયાનું સરંક્ષણ કરવાનું શાસ્ત્રિય ફરમાન છે, પરંતુ તે નહિ કે બીજા
કોઈ કાર્ય માટે, માત્ર રત્નત્રયીની રક્ષા માટેજ. ૭૭૪ ઇન્દ્રિયોને બહેકાવી મુકો નહિ, કારણ કે ઇન્દ્રિયો એ પણ મોહરાજાના રીસીવરોજ છે. ૭૭૫ પાંચ ઈન્દ્રિયોની પ્રવૃત્તિ એજ સાચી ગુલામી છે. જેમને ગુલામી સાલતી હોય તેણે સ્વતંત્રતાની
વ્યર્થ બાંગ ન પોકારતા આ ગુલામીમાંથીજ છુટવાની પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ૭૭૬ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપદ્વારા જીવાતું જીવન તેનું જ નામ જીવજીવન છે. ૭૭૭ છકાયમાંથી એક પણ કાયની વિરાધના જે ન થવા દે અર્થાત્ યેનકેન પ્રકારે પ્રત્યેક જીવને
બચાવવાને જે આત્મા પ્રયત્નવંત રહે તે પોતાને જૈન ગણી શકે છે. ૭૭૮ દ્રવ્યદયાનો ભોગ અપાય, તો વાંધો નહિ, પરંતુ દ્રવ્યદયાના ભોગે પણ ભાવદયાને
સાચવવાનીજ છે એ વાતને કદી ભૂલશો નહિ.