Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર સમાધાન-અલ્પ શક્તિવાળા સાધનથી કાર્યમાં આવતી અલ્પ શક્તિની માફક શાતાવેદની અંશે ઉપકાર
રૂપ ને અશાતા તે વિપર્યાસરૂપ (ઉલટારૂ૫) છે. પ્રશ્ન પ૩૪-શ્રાવકો સચિતને નહિ અડકવાનો નિયમ કરી શકે છે ખરા કે? અને જો તેઓ એવો નિયમ
કરી શકે તો પછી શું પ્રભુપૂજામાં સચિત્ત પાણીને અડી શકે અને તેનો ઉપયોગ કરી શકે? સમાધાન-શ્રાવકો સચિત પાણીને નહિ અડકવાનો નિયમ કરવામાં તો પુરતા વ્યાજબી છે, તેઓ સચિત્ત
પાણીને નહિ અડકવાનો નિયમ લે તેમાં તેમનો કાંઈપણ દોષ નથી પરંતુ તેથીજ તેઓ પ્રભુપૂજામાં પણ સચિત્ત પાણીનો ઉપયોગ કરે એવી તેમને છૂટ છે એમ માનવાની જરૂર નથી. સચિત પાણીને નહિ અડકવાનો નિયમ લીધા પછી પ્રભુપૂજામાં પણ સચિત પાણીને
અડકવાનો પ્રતિબંધ છે અને તેથીજ સાતમી પ્રતિમામાં ધુપ દીપાદિની પૂજા કરાતી નથી. પ્રશ્ન પ૩૫-કરેમિ ભંતે જાવસાહુનો પાઠ અંગીકાર કરી બે સામાયિક જેટલો સમય લે અને બે સામાયિક
છુટા કરે તેમાં કાંઈક ફરક ખરો ? સમાધાન-લાભની અપેક્ષા એ ફરક છે, કારણ કે વ્યાખ્યાન આદિ જેવા નિયત વખતમાં “જાવસાહુના
પાઠથી વધારે લાભ છે. પ્રશ્ન પ૩૯-તીર્થકર ભગવાનના સમવસરણમાં અભવ્યોને આવવાનો અને વ્યાખ્યાનાદિ સાંભળવાનો
અધિકાર ખરો કે નહિ? સમાધાન-તીર્થકર ભગવાનના સમવસરણમાં અભવ્યોને આવવાનો અધિકાર છે અને દેશનાને શ્રવણ
કરવાને પણ અધિકાર છે; પરંતુ તે સાથે એટલી વાત યાદ રાખવાની છે કે જે વ્યાખ્યાન
અથવા બીજો જે ઉપદેશ ત્યાં અપાય તે ઉપદેશ અભવ્યોને તથ્થરૂપે પરિણમતો નથી. પ્રશ્ન પ૩૭-જે જીવો અભવ્ય છે તે જીવોને શુકલલેશ્યા થાય ખરી કે નહિ? સમાધાન-અભવ્યજીવોને પણ શુકલેશ્યા થઈ શકે છે, અને તેથી જ તેને પરિણામે તેઓ રૈવેયક સુધી
જઇ શકે છે પ્રશ્ન પ૩૮-સિદ્ધચક્રના ગયા વર્ષના વીસમાં અંકના ૪૫૪માં પાનામાં ૬ થી ૧૧ સુધીની લીટી એવી
છે કે “અજીવપણું એ પરિણામિક ભાવ છે? એ લીટીઓનો અર્થ શો સમજવો ? સમાધાન-એ લીટીઓનો અર્થ કેવળ સરળ અને સાદો છે અને તેમાં કહેવાનો એ ભાવ રહેલો છે કે
અજીવમાં ચેતનારહિતપણું છે તે અકૃતિમ અને અનાદિ છે. પ્રશ્ન પ૩૯-આપે સિધ્ધચક્રના પાછલા એક અંકમાં જણાવ્યું હતું કે પ્રત્યનિક થવાથી ભાવચારિત્રનું
બીજ નાશ પામે છે તો શું ફરીથી નવા બીજની જરૂર પડે છે ખરી? સમાધાન-પ્રત્યનિક થવાથી ભાવચારિત્રનું બીજ નાશ પામે છે એ ત વાસ્તવિક છે અને તેથીજ
જરૂર નવા બીજની જરૂર પડે છે. પ્રશ્ન ૫૪૦-અંક ૨૦મો પાને ૪૫૮ પર જણાવ્યું છે કે મોક્ષમાં મન ન રહે તો ભલે, પણ બીજી કશી
પણ પ્રવૃત્તિમાં મન ન જાય તો તદ્ભવમાં મોક્ષ મળે છે, તો પછી એ સમયે મનની | પ્રવૃત્તિશી હોય છે ?