Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૨
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર ૭૭૯ ભાવપ્રાણની ફિસુફીને જેઓ સમજે છે તેઓ ભાવદયાને અગ્રપદ આપ્યા વિના રહેતા નથી. ૭૮૦ આખા જગતની દ્રવ્યદયા અને ભાવદયા એ બેના મુકાબલામાં ભાવદયા જ વધારે શ્રેષ્ઠ છે. ૭૮૧ દ્રવ્ય દયાને પણ તદ્ન નકામી સમજશો જ નહિ ! દ્રવ્યદયા પણ જરૂર આવશ્યક છે. પરંતુ
એ મહેતલ છે જ્યારે ભાવદયા એ કર્મથી છુટાછેડા કરાવનાર છે. ૭૮૨ જડજીવન અને જીવજીવન એ બેની સરખામણી કરો તો સમજી લ્યો કે જડજીવનની
જીવજીવનની આગળ કશીજ કિંમત નથી. ૭૮૩ ચારિત્રની અપેક્ષાએ દ્રવ્યદયાના ભોગને અધિક માનવામાં આવે તો કહેવું જ પડશે કે તેને
રત્નત્રયીની કિંમતજ નથી. ૭૮૪ તમે જ્યાં સુધી જીવજીવનના અર્થી ન બની શકો ત્યાં સુધી સમ્યકત્વની તમોને પ્રાપ્તિ થઈ
શકવાની નથી. ૭૮૫ લોકોત્તર માર્ગની પ્રાપ્તિ થવાની હોય ત્યારે તે પ્રસંગે લૌક્કિ માર્ગની કિંમત આંકવા બેસે એને
મૂર્ખ ન ગણી શકો તો બહેતર છે કે શબ્દકોષમાંથી મુર્ખ શબ્દને દૂર કરો. ૭૮૬ સમ્યકત્ત્વ એ રત્નનો દીવો છે, જો તમો મોક્ષની આશા રાખતા હો તો એ રત્નદીપકને તમારા
હૈયામાં ધારણ કરો. ૭૮૭ જે આગમની દ્રષ્ટિને સમજે છે, તેજ આગમને અને તેના અર્થને પણ સમજી શકે છે. ૭૮૮ સ્નેહી માણસોના કલહને ધ્યાનમાં ન લેતા સત્યનું આલંબન કરે છે તેજ વીર છે બીજા નહિ. ૭૮૯ વિષય કષાય દેખીતા આનંદજનક લાગે છે, પણ તે પરિણામે ગાઢ બંધન રૂપ છે અને તેમાં
ફસાયેલો આત્મા એ અનાદિ કાળથી તેનો ગુલામ બનેલો છે. ૭૯o શ્રીપાલ મહારાજને મળેલી સમૃદ્ધિ દેવલોક એ મોક્ષ એ તમામનું મુળ કારણ જોશો તો બીજું
કાંઈજ નથી પરંતુ શ્રી નવપદજીનું આરાધનજ છે. ૭૯૧ પાપકાર્યોમાં તો ઇચ્છા હો કે ન હો તે છતાં પાપ લાગે છે જ્યારે ધર્મકાર્યોમાં તો ઇચ્છા હોય
તોજ પુણ્ય લાગે છે, જો ઇચ્છા ન હોય તો પુણ્ય લાગતું નથી. ૭૯૨ જ્ઞાન, વર, નિર્જરા, સ્વર્ગ તથા મોક્ષ એ સઘળા ઈચ્છાપૂર્વકના પ્રયત્નોથી પ્રાપ્ત થાય છે
અન્યથા નહિ. ૭૯૩ ગયા ભવોમાં અજ્ઞાનતાથી કરેલી ક્રિયાને ત્રિવિધ ન વોસિરાવીને તેનાથી ત્રિકરણયોગે ન
ખસીએ તો ત્યાં સુધી ગયા ભવમાં અજ્ઞાનતાથી કરેલી ક્રિયાનું પાપ પણ ખસતું નથી.