Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સિદ્ધચકના સેવકો માટે
ના! આજના જે કામ છે તે, કાલ માટે પરહરી !
જે આજનું પ્રિય કાર્ય છે, તે આજ અત્યારે કરી ! અને એવું કામ તે શું છે તે તમો જાણો છો? તમારું આજનું કાર્ય એજ છે કે નીચેનો ગ્રંથ મેળવવા આજે જ સિદ્ધચકના ગ્રાહક થાઓ.
એ પરમ પવિત્ર ગ્રંથ
“આગમોઢારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીનું જીવન ચરિત્ર છે.
(સિદ્ધચક્રની પહેલી ભેટ) આ ગ્રંથમાં અક્ષરે અક્ષરે આચાર્યશ્રીના જીવન પ્રસંગો વહે છે ! આ ગ્રંથમાં શબ્દ શબ્દ વીરતા ઉપજાવનારા પ્રસંગો છે ! આ ગ્રંથમાં વાકયે વાકયે મહારાજશ્રીના ધર્મોપદેશની અમીરસ ધારા રેલે છે ! આ ગ્રંથ લીટીએ લીટીએ આચાર્ય દેવનું જીવન તમોને ઓળખાવે છે! આ ગ્રંથ પાને પાને તમોને પ્રેરણા આપે તેવો છે ! આ ગ્રંથ પ્રકરણે પ્રકરણે તમોને જૈનત્વ માટે મહારાજશ્રીની પ્રીતિ દર્શાવે છે.
આ ગ્રંથ તે શ્રી આચાર્યદેવના જીવનનું સંપૂર્ણરીતે એક મનુષ્યને હાથે પડી શકે તેવું કાળજી પૂર્વક પાડેલું પ્રતિબિંબ છે ?
એક સામાન્ય બાળક સામાન્ય મટી મહાત્મા થાય ? એક સામાન્ય માણસ, સામાન્ય મટી આગમોઢારક થાય? એક સામાન્ય મુનિ, મુનિ મટી અદ્વિતીય આચાર્ય થાય?
આ ત્રણે પ્રશ્નોનો જવાબ “હા!” છે; અને એ કેવી રીતે બને છે, એ જાણવું જ હોય તો ઉપરનો ગ્રંથ મંગાવીને વાંચો કે જેમાં આચાર્યદેવના જીવન પ્રસંગો સાથે સંબંધ ધરાવતા આઠ દશ આર્ટ પેપર ઉપર છાપેલી સુંદર પ્રતિકૃતિઓ છે
સુંદર છપાઇ ! મનોહર ટાઈપ ! અલબેલું બાઇડિંગ ! આકર્ષક પુસ્તક !
જો તમોને વાંચનની જરા પણ કદર હોય તો સિદ્ધચક્રના ગ્રાહક થાઓ અને આ પુસ્તક આજે જ મેળવો:
- લખો -સિહાયક સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ મુંબઈ.