Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
૨૯
દ્વતીમાંથદેશના
આગમાદધારકોની
દેશનાકાર)
Hool
દી
Rel
દdફા,
(
સોદણ5.
સામાયિક અને તેની આવશ્યકતા. સામાયિકની આવશ્યકતા શાથી?-ધર્મ શબ્દનો અર્થ કરવામાં થતી ભયાનક ભૂલોશ્રેણિક મહારાજાની પર્ષદામાં હીરો-કબુતરો દ્વારા તેની પરીક્ષા-ધર્મનું સાચું સ્વરૂપ કોણ પારખી શકે ?-સ્યાદ્વાદશ્રુત એ બહુશ્રુતનો ભેદ શું ? બહુજન સંમત છતાં જિન શાસનનનો શત્રુ હોઈ શકે ?-નિશ્ચય વિનાનું બહઋતપણું એ આત્મા વિનાનો દેહ છેશાસ્ત્રોના અર્થો કયે માર્ગે થઈ શકે ?-માત્ર શબ્દોને વળગી રહીનેજ શાસ્ત્રોનો અર્થ કરવો એ અજ્ઞાનની પરમાવધિ છે.-શાસના હેતુને ધ્યાનમાં લઈનેજ શાસ્ત્રવચનોનો અર્થ થઈ શકે અન્યથા નહિજ !-સામાયિક એ સંવરનું જ એક સ્વરૂપ છે અને તેથીજ સામાયિક એ દરેક જૈન માટે કર્તવ્ય છે.
(નોંધ :-શાસન પ્રભાવક, સકલશાસ્ત્ર પરંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભૂષણ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજાશ્રીએ આ વ્યાખ્યાન આપ્યું હતું, પ્રસ્તુત વ્યાખ્યાન શ્રોતાઓને અત્યંત મનોવેધક, સત્યતત્વ પ્રતિપાદક શાસ્ત્રિયતા પરિપુર્ણ અને આત્મ-શક્તિ સવર્ધક લાગ્યું હોવાથી તે વ્યાખ્યાન વાંચકોને માટે અત્રે આપવામાં આવે છે.)
તંત્રી સિદ્ધચક્ર' સામાયિક શા માટે
શાસ્ત્રકાર મહારાજાઓ ભવ્ય જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપતાં વારંવાર સામાયિક કરવાની આવશ્યકતાને આગળ ધરે છે. તેમણે વારંવાર સામાયિક શા માટે કરવા જોઇએ, એથી શો લાભ છે, અને તે ન કરવામાં શો ગેરલાભ છે તે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે અને એમ વારંવાર અનેક દૃષ્ટાંતોવડે સામાયિકની આવશ્યકતા સિદ્ધ કરી છે. સામાયિક કરવાનું કારણ એ છે કે ધર્મને માર્ગે પ્રગતિ થાય. પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં તેનું પરિણામ શું આવશે તે વાત સુજ્ઞપુરૂષો વિચારી જુએ છે. એજ રીતે