________________ મિહનચરિત્ર સર્ગ ત્રીજે... ( 12 ) પશે તેથી જગતમાં યશ મેળવ્યો કે અપયશ શ્રદ્ધાથી જાદા જૂદા ધર્મને વળગી રહેલા તથા નાનાપ્રકારની જાતિથી અને કુલોથી વસેલા એવા વિવિધ દેશોમાં પર્યટન કરનાર પુરુષ ઉપર કહેલી બાબતોનું જ્ઞાન મેળવે છે. વળી વૈદકમાં પણ કહ્યું છે કે-પર્યટન કરવાથી શરીર હલકું થાય છે, કામકાજ કરવાની તાકદ આવે છે, જઠરાગ્નિ વધે છે, મેદ (જેથી શરીર જાડું થાય છે એવો એક જાતનો રોગ) ઝરી જાય છે, તથા શરીરના અવયવ મજબૂત થઈ જૂદા જૂદા દેખાય છે.” રર-૩૭. आलोच्यैवं रूपचन्द्रा आगमोक्तं च लौकिकम् / विहारफलमत्रस्ता निश्चिक्युस्तं परेद्यवि // 38 // સિદ્ધાંતમાં કહેલું તથા લેકપ્રસિદ્ધ એવું ઉપર જણાવેલું વિહારનું ફલ મનમાં વિચારીને પ્રસંગે ગંભીર એવા રૂપચંદજીએ આવતીકાલે વિહાર કરવાને નિશ્ચય કરો. 38. विहारमात्मना साध रूपचन्द्रा विधित्सवः / विज्ञायैतन्मोहनोऽपि मुमुदे मोहमोहनः // 39 // રૂપચંદજી મારી જોડે વિહાર કરવા ઇચ્છે છે.” એ વાત જાણીને મેહને મોહ પમાડનાર એવા મોહનજીને પણ હર્ષ થે. 39. मुहूर्ते निश्चित रूप-चन्द्रा मोहनसंयुताः। प्रतस्थिरे सुप्रशस्तैः शकुनैर्विकसन्मुखाः // 40 // નક્કી કરેલા મુહુર્તઉપર રૂપચંદજીએ મેહનજીને સાથે લઈને વિહાર કરે. તે વખતે સારાં શકુન થયાં તેથી રૂપચંદજીનું મુખ પ્રસન્ન થઈ ગયું. 40. . दक्षिणस्यां जनपदा दक्षिणाः सन्ति भूरयः। इतीव तां प्रति ययु-र्दाक्षिण्यं हि सतां प्रियम् // 41 // દક્ષિણમાં ઘણા દેશો સરલ (સીધા) છે, એવો વિચાર કરીને જ કે શું? રૂપચંદજી દક્ષિણદિશા તરફ ગયા. ઠીક છે, પુરુષોને સરલતા (સીધાપણું) ઘણું વહાલી હોય છે. 41. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust