________________
,
૧૮
વ્યાપિ રહે છે. અર્થાત્ બધી વસ્તુને જાણે છે. રત્ન એક સ્થળે રહેવા છતાં તેની પ્રભા દુધમાં વ્યાપિ રહે છે તેમ આમા એકસ્થાને રહેવા છતાં તેનું જ્ઞાન સર્વ પદાર્થને બધ કરી લે છે.
જેમ રૂપને-પદાર્થને ગ્રહણ કરે છે છતાં રૂપસ્વરૂપ-પદાર્થ સ્વરૂપ આંખે થતી નથી તેમ જ્ઞાન
ય-જાણવા ચેાગ્ય પદાર્થને જાણે છે છતાં તે પદાર્થ સ્વરૂપ થઈ જતું નથી. દૂર રહેલા પદાર્થને પણ જ્ઞાન સ્વભાવિક રીતે જાણી શકે છે.
જ્ઞાન પિતાને અને પરને જાણે છે. * જેમ દીપક પદાર્થોને પ્રકાશીત કરે છે તેમ પિતાને પણ પ્રકાશીત કરે છે. પિતાને પ્રકાશીત કરવાને બીજા દીવાની જરૂર પડતી નથી, તેમ જ્ઞાન બીજા પદાર્થોને પ્રકાશીત કરે છે. એવી જ રીતે પોતાને પણ પિતાવડે પ્રકાશીત કરે છે. તેને પિતાને પ્રકાશીત કરવાને બીજા આત્માની જરૂર પડતી નથી, એટલે આત્માને ધર્મ સ્વ–પરને પ્રકાશ કરવા-જાણવાને છે. જ્ઞાન અને આત્માનો અભેદ સંબંધ છે.
'જ્ઞાનાવરણ કર્મનાં તમામ આવરણો વિશુદ્ધ ધ્યાનથી હર થતાં, ઈન્દ્રિય તથા મનાદિની મદદ વડે થયેલું ક્ષાપથમિક જ્ઞાન નિવૃત્ત થાય છે અને નિત્ય ઉજવળ ક્ષાયક જ્ઞાન પ્રગટ થાય છે. આ સર્વોત્કૃષ્ટ અને વ્યાઘાત વિનાનું