Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જના અનંત ગુણેનો ગુણાનુવાદ કરવા ખૂદ સરસ્વતી પણ સમર્થ નથી, એવા છે ૨ જિનાજ્ઞાને જ જેમણે ધર્મ માન્યો અને સદાય જિનાજ્ઞા અનુસાર જ ઉપદેશ આપ્યો
એવા મહાપુરૂષ પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા.ના = ગુણાનુવાદ કરવાની ખરેખર તો મારી લાયકાત પણ નથી. છતાં એ પૂજય પાદશ્રી પ્રત્યેને, પૂજ્યભાવ મને એ મહાપુરૂષના ગુણાનુવાદ કરવાને પ્રેરે છે.
હે જિનાજ્ઞા પ્રેમી,
આપ તે બાળપણથી જ જિનાજ્ઞાના પ્રેમી હતા. ૧૩–૧૪ વર્ષની વયે પણ આપ R સ્પષ્ટ વકતા હતા. આ૫ આટલી નાની ઉંમરે પણ ગામમાં આવતા સાધુએ ની વૈયાવચ્ચ છે છે કરતા ત્યારે જે કઈ સાધુમાં કંઈ ઉણપ જણાય તે આપ તેને સ્પષ્ટ જણાવી દેતા કે 8 8 અવું અહી ચાલશે નહીં. આપ જિનાજ્ઞાન પ્રેમી હોવાથી મેટાઓને પણ આપની છે વાત માનવી પડતી.
હિ ઉપકારી એ ઉપકારી તમારો કદીય ન વિસરે રે | વિનોદરાય શાંતિલાલ દોશી - જામનગર
“આણાએ વમે” એ આપને જીવનમંત્ર હતે. આપના વ્યાખ્યાનમાં કાયમ જિના-૨ જ્ઞાને ઉલેખ તે મારા ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે. તે જ પરમસત્ય છે, તે જ છે આત્માને એકાંતે હિતકારી છે. બાકી બધું જ આત્માને માટે અહિતકારી છે. આવું છે આપનું વારંવાનું વિધાન લાયક જીવને સમકિત પ્રાપ્તિનું કારણ બનતું.
આપ જળકમળવત્ હતા.
આપ પૂજય શ્રી આ કાળના એક વિરલ આચાર્ય ભગવંત હતા. આપનું ઠેરઠેર જ બાદશાહી સન્માન થતું. છતાં તેમાં લેપાયા વગર આપ સ્પષ્ટ કહેતા કે આ “અમારું સન્માન નથી પણ ભગવાનના સાધન સન્માન છે. જે આ સન્માનમાં અમે લેવાઈ જઈએ તે અમારું સાધુપણું નષ્ટ થઈ જાય. પૈસો સંસારીને ડુબાડે છે તેમ જે અમે સાવચેત ન રહીએ તે આ માન-સન્માન અમને પણ ડુબાવનારી બને આવા બાઇ શાહી સન્માન પ્રત્યે પણ અલિપ્ત રહેનાર આપ જળકમળવત્ હતા.
આપ તે મહાન શાસન પ્રભાવક હતા.
વર્તમાન કાળમાં આપ પૂજ્યપાદ શ્રીજીને ૭૯ વર્ષનો સુદીર્ઘ દીક્ષા પર્યાય શાસન છે પ્રભાવનાના કાર્યોમાં અજોડ છે. આપની પિતાની પણ દીક્ષા લેવાની જે તમન્ના હતી તે