Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧ વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭–૯૩
', : ૧૪૦૯ ૪
!
ક
છે જગવનારા પૂ. પરમશાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહા
રાજા (ત્યારે પંન્યાસ)ના પ્રવચન અને પરિચયને પારસસ્પર્શ પામી ધર્મ રંગથી અંગે તે અંગમાં રંગાઈ ચૂકેલા માણેકભાઇ સંવત ૧૯૮૭ના માગસર વદ ૯ મે સંયમી બનીને ૧ મુનિરાજશ્રીમુર્ગીકવિજયજી મહારાજના નામે જાહેર થયા.
સાગમરહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય દાનસૂરીશ્વરજી મહારાજ, ૨ આ સિદ્ધાંત મહા ધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્દવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, (ત્યારે ઉપાધ્યાય) { છે પિતાના પરમગુરૂદેવ પૂ આચાર્યદેવ શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું આ છે છે ગુરુ-ત્રિવેણીના અપૂર્વ કૃપાપાત્ર બનીને એઓશ્રી જ્ઞાનાર્જન, ગુરુભકિત, વૈયાવચ્ચ આદિલ
અનેક ગુણ તો યેગે સંયમ જીવનને સર્વ તેમુખી વિકાસ સાધવા માંડયા. વિકસતી છે છે ગ્યતા જોઇને પૂ. ગુરુદેવોએ એમને ગણિ–પંન્યાસપદ પર આરૂઢ કર્યા અને વિ. સં. ૧
૨૦૨૯ના મ ગસર સુદ બીજના દિવસે મુંબઈ શ્રીપાળનગરમાં પૂ. ગચ્છાધિપતિ ગુરૂદેવના 5 વરદ-હસ્તે આચાર્યપદે પ્રતિષ્ઠિત કરાયા. .
આરા ધના અને પ્રભાવનાના સ્વપર ઉપકારક ગુણો વડે પૂજય આચાર્યદેવ શ્રીમદ્દ- 8 8 વિજય જિત મૃગાંકસૂરીશ્વરજી મહારાજાની જીવનનૈયા તરતી અને અને કેને તારતી આગળ છે છે વધી રહી હતી, એમાં જીવનનાં છેટલાં વર્ષોમાં વ્યાધિઓના હુમલા દેહ પર થતા રહ્યા, { છે છતાં.વ્યાધિની કુંકાયેલી આંધીમાં સમાધિનું સુકાન સમાલી રાખવામાં એ શ્રી એટલા | છે બધા સફળ બન્યા કે વ્યાધિની માત્રા કરતાં સમાધિની યાત્રા એથીય વિશેષ વેગ પકડતી
રહી. હસતા હસતા સહીને અને સહતાં સહતાં હસતા રહીને વિ. સં. ૨૦૩૨ ના ફાગણ સુદ છે છઠ્ઠના દિવસે શ્રીપાળનગર મુંબઈ મુકામે એઓશ્રી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૧
પૂજય પાદ પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, આચાર્યદેવશ્રીમવિજય- રામચંદ્રસૂર ધરજી મહારાજાના પટ્ટપ્રભાવક તરીકે એઓશ્રી એવું અદ્ભુત સાધક-પ્રભાવક જીવન જીવી ગયા કે વર્ષોનાં વાણાં વાઈ ગયાં છતાં હજી આજે ય એ મહાપુરુષની સમૃતિ ગુરુ સમર્પિતતાની દીવાદાંડી બનીને અનેકને સંયમ-સાધનાને રાહ બતાવી રહી છે. .
વિશ્વના ઉપવનમાં સાત દાયકાથી અધિક જીવનકાળ દરમિયાન સાડા ચાર દાયછે કાથી પણ વધુ સમય સુધી સંયમની સુવાસ ફેલાવી ગયેલુ યશસ્વી વ્યકિતત્વથી સભર છે એ ફુલ એ દિવસે ખરી પડયું. પણ એ ફૂલની ફેરમ અનેકનાં દિલ દિમાગને તરબતર { કરતી હજી આજે પણ ચારિત્રની પવિત્ર પરિમલ ફેલાવતી વિસ્તરી રહી છે.
ચારિત્રથી પવિત્ર પૂજયશ્રીના ચરણારવિંદમાં જેટલી વંદનાંજલિ અર્પણ કરીએ ? 1 એટલી ઓછી જ રહેવાની ! માટે એની આગળ “અગણિત આ વિશેષણની વૃદ્ધિ કરીને છે છે. આપણે સહુ મસ્તક નમાવીએ ! અનંત વંદન એ તારકના પાદપક્વમાં.
- સંકલન – પૂ. મુ. શ્રી દિવ્યભૂષણવિજયજી મ.