Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી તીર્થયાત્રાનું ફળ : -
“આત્માને સંસાર સાગરથી તારે તેનું નામ તથા આ શ્રી જ ને શાસ્ત્રકાર પરમપિઓએ બતાવેલી તીથની સરળ અને મર્મસ્પશી વ્યાખ્યા છે છે છે. તીર્થભૂમિનું પ્રાદેશિક વાતાવરણ જ એટલું શાંત અને સુરમ્ય છે કે છે સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિના તાપથી તપ-ત્રસ્ત બનેલ આત્મા તીથની તારક છત્રછાયામાં સ્વાભાવિક જ શાંતિની અનુભૂતિ કરવા લાગે છે. તીર્થભૂમિના અણુએ અણુમાં મુકિતની તીવ્ર અભિલાષા પ્રગટાવવાની પ્રચંડ તાકાત રહેલી છે આવા પવિત્ર તીર્થધામની યાત્રા કરવા નીકળેલ માનવી પોતાના આત્માને પવિત્ર બનાવે છે. પિતાના કુળને નિમલ બનાવે છે, સંસારરૂપી અંધકારમય ઊંડા કૂવામાં પડતો નથી. અનતી અનંતી પુણ્ય- છે રાશિભેગી થયા પછી મળેલ મહામુલો માનવજન્મ પણ વિધિપૂર્વકની તીર્થયાત્રાથી સફળ બનાવ્યો ગણાય છે, અને જયાં સુધી આત્માની મુકિત ન થાય ત્યાં સુધી સદાને માટે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે.
અનંત જ્ઞાનીઓએ તીર્થ યાત્રિકો માટે બનાવેલું આ ફળ દર્શન, તીર્થયાત્રા કર્યા પછી પણ જે ન દેખાય તો સમજવું કે તીર્થયાત્રામાં
ક્યાંક ખામી છે. તે વાસ્તવિક તીર્થયાત્રા નહિ પણ “મજ યાત્રા” | બની ગણાય છે. તે ખામી જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી હું તીર્થયાત્રાનું તારિક ફળ મળે નહિ. સંસારમાં ભ્રમણ-પરિભ્રમણ તે ઘણું કર્યા છે. તીર્થયાત્રા પણ આવું બમણુ-પરિભ્રમણ કરાવનારી ન બને પણ છે | ભવભ્રમણનો અંત કરનારી બને તેવું પ્રબળ પુરુષાર્થ કરનારા બની સૌ છે. 1 વહેલા પરમપદને પામો એ જ સદા માટેની એકની એક શુભાભિલાષા. આ
-પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા.